-
કહેવત છે કે નશો નાશનું મૂળ છે. નશાની હાલતમાં કોણ શું કરે તેનું નશેડીને ભાન હોતુ નથી. આવા જ એક કિસ્સામાં એક ડોક્ટરે દારૂ પીધેલી હાલતમાં પ્રસુતિ કરાવતી વખતે ભાન ભૂલેલાએ એવી ગરબડ કરી કે પ્રસુતા માતા અને નવજાત શિશુ બન્નેના કરૂણ મોત નિપજ્યા હતા. બોટાદમાં સોનાવાલા હોસ્પિટલમાં ડો.( એમને ડોક્ટર કહેવાય?) પ્રકાશ લાખાણીએ નશાની હાલતમાં આવું ગુન્હાઇત કૃત્ય આચર્યું હતું. પરિવારજનોની ફરિયાદના આધારે લાખાણીનો બ્રેથ એનેલાઇઝર ટેસ્ટ કરાયો ત્યારે તે નશાની હાલતમાં હોવાનું પૂરવાર થયું હતું. એક નશેડી ડોક્ટરને કારણે બે નિર્દોષ જીવોની હત્યા થઇ ગઇ છે. પરિવારજનોની માંગ છે કે પોલીસે આ દારૂડિયા ડોક્ટરની સામે હત્યાનો ગુનો નોંધવો જોઇએ.
-
કહેવત છે કે નશો નાશનું મૂળ છે. નશાની હાલતમાં કોણ શું કરે તેનું નશેડીને ભાન હોતુ નથી. આવા જ એક કિસ્સામાં એક ડોક્ટરે દારૂ પીધેલી હાલતમાં પ્રસુતિ કરાવતી વખતે ભાન ભૂલેલાએ એવી ગરબડ કરી કે પ્રસુતા માતા અને નવજાત શિશુ બન્નેના કરૂણ મોત નિપજ્યા હતા. બોટાદમાં સોનાવાલા હોસ્પિટલમાં ડો.( એમને ડોક્ટર કહેવાય?) પ્રકાશ લાખાણીએ નશાની હાલતમાં આવું ગુન્હાઇત કૃત્ય આચર્યું હતું. પરિવારજનોની ફરિયાદના આધારે લાખાણીનો બ્રેથ એનેલાઇઝર ટેસ્ટ કરાયો ત્યારે તે નશાની હાલતમાં હોવાનું પૂરવાર થયું હતું. એક નશેડી ડોક્ટરને કારણે બે નિર્દોષ જીવોની હત્યા થઇ ગઇ છે. પરિવારજનોની માંગ છે કે પોલીસે આ દારૂડિયા ડોક્ટરની સામે હત્યાનો ગુનો નોંધવો જોઇએ.