ઉત્તર પ્રદેશના સહારનપુરમાં જાતીય હિંસા વિકરાળ સ્વરુપ ધારણ કરી રહી છે. ઠાકુર સમુદાયના લોકોએ દલીતોના આશરે ૨૫ ઘરને આગ લગાવી દીધી હતી. જે બાદ અહીં સ્થિતિ કથળી હતી. જ્યારે મંગળવારે ઠાકુર સમુદાયના આશરે ૧૨ ઘરોને આગ લગાવવાની ઘટના બાદ અહીં ફરી હિંસા ભડકી છે. દરમિયાન અહીં મંગળવારે માયાવતીની રેલીમાંથી પરત ફરી રહેલા એક દલીત યુવકની કેટલાક અજાણ્યા શખ્સોએ જાહેરમાં ગોળી મારી હત્યા કરી દીધી હતી. પોલીસે હાલ આ સમગ્ર હિંસાની ઘટનાઓમાં સામેલ બન્ને સમુદાયના આશરે ૨૪ જેટલા લોકોની ધરપકડ કરી છે.
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં જાતીય હિંસા વિકરાળ સ્વરુપ ધારણ કરી રહી છે. ઠાકુર સમુદાયના લોકોએ દલીતોના આશરે ૨૫ ઘરને આગ લગાવી દીધી હતી. જે બાદ અહીં સ્થિતિ કથળી હતી. જ્યારે મંગળવારે ઠાકુર સમુદાયના આશરે ૧૨ ઘરોને આગ લગાવવાની ઘટના બાદ અહીં ફરી હિંસા ભડકી છે. દરમિયાન અહીં મંગળવારે માયાવતીની રેલીમાંથી પરત ફરી રહેલા એક દલીત યુવકની કેટલાક અજાણ્યા શખ્સોએ જાહેરમાં ગોળી મારી હત્યા કરી દીધી હતી. પોલીસે હાલ આ સમગ્ર હિંસાની ઘટનાઓમાં સામેલ બન્ને સમુદાયના આશરે ૨૪ જેટલા લોકોની ધરપકડ કરી છે.