તામિલનાડુના ખાણ માફિયા જે. શેખર રેડ્ડી અને તેના બે સાથીદારો વિરૃધ્ધના મની લોન્ડરિંગ કેસમાં થઇ રહેલી તપાસના સબંધમાં એન્ફોર્સમેન્ટ ડીરેકટરેટ (ED)એ રૃપિયા ૮.૫૬ કરોડના ૩૦ કિલો સોનાને જપ્ત કર્યો હતો. ચાલુ વર્ષે માર્ચમાં EDએ તામિલનાડુના શેખર રેડ્ડી અને તેના બે સાથીદારો કે. શ્રીનિવાસન અને પી. કુમારની આ કેસમાં ધરપકડ કરી હતી. EDએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમની ઝોનલ ઓફિસે જુની નોટોના બદલામાં નવી નોટો લેવાના મની લોન્ડરિંગ કેસમાં ૩૦ કિલો સોનું જપ્ત કર્યું હતું.
તામિલનાડુના ખાણ માફિયા જે. શેખર રેડ્ડી અને તેના બે સાથીદારો વિરૃધ્ધના મની લોન્ડરિંગ કેસમાં થઇ રહેલી તપાસના સબંધમાં એન્ફોર્સમેન્ટ ડીરેકટરેટ (ED)એ રૃપિયા ૮.૫૬ કરોડના ૩૦ કિલો સોનાને જપ્ત કર્યો હતો. ચાલુ વર્ષે માર્ચમાં EDએ તામિલનાડુના શેખર રેડ્ડી અને તેના બે સાથીદારો કે. શ્રીનિવાસન અને પી. કુમારની આ કેસમાં ધરપકડ કરી હતી. EDએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમની ઝોનલ ઓફિસે જુની નોટોના બદલામાં નવી નોટો લેવાના મની લોન્ડરિંગ કેસમાં ૩૦ કિલો સોનું જપ્ત કર્યું હતું.