ઇજિપ્તની રાજધાની કાહિરાના મિનયા પ્રાંતમાં આજે બસ અને ટ્રકથી ચર્ચ જતાં લોકો પર અજાણ્યા બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું હતું. ગોળીબારમાં કોપ્ટિક ખ્રિસ્તી સમુદાયના 26 લોકોના મોત થયા જ્યારે અન્ય 25 લોકો ઘાયલ થયા હતા. પ્રાંતના ગવર્નર ઇસામ અલ-બેદાઇ એ જણાવ્યું કે, ખ્રિસ્તી લોકો સમૂહ પ્રાર્થના માટે ચર્ચ જઇ રહ્યા હતા, ત્યારે આ ઘટના બની. આ વિસ્તારમાં અલ્પસંખ્યક ખ્રિસ્તીઓના ઘણા ઘર છે.