કેરળના સબરીમાલા મંદિરમાં બુધવારે બે રજસ્વલા મહિલાઓએ પ્રવેશ કર્યા બાદ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, ભાજપ અને લોર્ડ અયપ્પાના સમર્થક સંગઠનો દ્વારા ગુરુવારે કેરળ બંધનું એલાન અપાયું હતું. રાજ્યનાં વિવિધ શહેરોમાં બળપૂર્વક બંધ પળાવવાનો પ્રયાસ થતાં ઠેર ઠેર હિંસક અથડામણોમાં ૧ વ્યક્તિનું મોત થયું હતું અને ૩૯ પોલીસ સહિત ૧૦૦થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. પાંડાલમમાં બુધવારે સાંજે ફાટી નીકળેલી હિંસામાં ઘાયલ થયેલા સબરીમાલા કર્મ સમિતિના કાર્યકર ચંદ્રન ઉન્નીથનનું હોસ્પિટલમાં હાર્ટએેટેકને કારણે ગુરુવારે મોત થયું હતું. પોલીસે ગુરુવારે હિંસા આચરી રહેલાં ૨૬૬ લોકોની ધરપકડ કરી હતી અને ૩૩૪ લોકોની અટકાયત કરી હતી.
કેરળના સબરીમાલા મંદિરમાં બુધવારે બે રજસ્વલા મહિલાઓએ પ્રવેશ કર્યા બાદ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, ભાજપ અને લોર્ડ અયપ્પાના સમર્થક સંગઠનો દ્વારા ગુરુવારે કેરળ બંધનું એલાન અપાયું હતું. રાજ્યનાં વિવિધ શહેરોમાં બળપૂર્વક બંધ પળાવવાનો પ્રયાસ થતાં ઠેર ઠેર હિંસક અથડામણોમાં ૧ વ્યક્તિનું મોત થયું હતું અને ૩૯ પોલીસ સહિત ૧૦૦થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. પાંડાલમમાં બુધવારે સાંજે ફાટી નીકળેલી હિંસામાં ઘાયલ થયેલા સબરીમાલા કર્મ સમિતિના કાર્યકર ચંદ્રન ઉન્નીથનનું હોસ્પિટલમાં હાર્ટએેટેકને કારણે ગુરુવારે મોત થયું હતું. પોલીસે ગુરુવારે હિંસા આચરી રહેલાં ૨૬૬ લોકોની ધરપકડ કરી હતી અને ૩૩૪ લોકોની અટકાયત કરી હતી.