-
દૂરસંદેશાવ્યવહારના સાધનો બનાવનાર વિદેશની એરીક્સન કંપનીએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરીને એવી અરજ ગુજારી છે કે અમારા બાકી નિકળતા 550 કરોડ ચૂકવવામાં આર.કોમના માલિક અનિલ અંબાણી કોર્ટમાં આપેલી વ્યક્તિગત બાંયેધારી છતાં નિષ્ફળ ગયા હોવાથી કોર્ટે તેમની સામે કોર્ટના તિરસ્કાર બદલ કાર્યવાહી કરીને જેલમાં ધકેલવા જોઇએ અને તેઓ વિદેશ જતા ના રહે તે માટે તેમના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવો જોઇએ. અંબાણીના વકીલે એવો બચાવ કર્યો કે ભારત સરકારના ટેલિકોમ વિભાગ દ્વારા અમારા સ્પેક્ટ્રમ ડીલમાં મોડુ કરવામાં આવ્યું હોવાથી પેમેન્ટમાં વિલંબ થયો છે. આર.કોમ દ્વારા ભારત સરકારના મંત્રાલયની સામે અવમાનનાની અરજી કરવામાં આવી છે. એરિક્સનની આ અરજીના કારણે શેરબજારમાં અનિલ અંબાણીન ી કંપનીના શેરના ભાવ ઘટી ગયા હતા.
-
દૂરસંદેશાવ્યવહારના સાધનો બનાવનાર વિદેશની એરીક્સન કંપનીએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરીને એવી અરજ ગુજારી છે કે અમારા બાકી નિકળતા 550 કરોડ ચૂકવવામાં આર.કોમના માલિક અનિલ અંબાણી કોર્ટમાં આપેલી વ્યક્તિગત બાંયેધારી છતાં નિષ્ફળ ગયા હોવાથી કોર્ટે તેમની સામે કોર્ટના તિરસ્કાર બદલ કાર્યવાહી કરીને જેલમાં ધકેલવા જોઇએ અને તેઓ વિદેશ જતા ના રહે તે માટે તેમના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવો જોઇએ. અંબાણીના વકીલે એવો બચાવ કર્યો કે ભારત સરકારના ટેલિકોમ વિભાગ દ્વારા અમારા સ્પેક્ટ્રમ ડીલમાં મોડુ કરવામાં આવ્યું હોવાથી પેમેન્ટમાં વિલંબ થયો છે. આર.કોમ દ્વારા ભારત સરકારના મંત્રાલયની સામે અવમાનનાની અરજી કરવામાં આવી છે. એરિક્સનની આ અરજીના કારણે શેરબજારમાં અનિલ અંબાણીન ી કંપનીના શેરના ભાવ ઘટી ગયા હતા.