નેશનલ કોન્ફરન્સના પ્રેસિડન્ટ ફારૂખ અબ્દુલ્લાએ ફરી એકવાર કાશ્મીરના પથ્થરબાજોનું સમર્થન કર્યું છે. તેઓએ દાવો કર્યો છે કે તમામ પથ્થરબાજ એક જેવા નથી. ફારૂખે એવો સવાલ પણ ઉઠાવ્યો કે શું દેશ તેમના વિશે અને તેમના ભવિષ્યને લઈને ચિંતિત છે? તેઓઓ આ આરોપ પણ લગાવ્યો કે અનેક પથ્થરબાજ એવા પણ હોઈ શકે છે જેમને સરકાર પૈસા આપતી હોય.