મુંબઇના CST રેલવે સ્ટેશન પાસે ફુટઓવર બ્રિઝ ધરાશયી થતાં 5 લોકોના મૃત્યુ થયા છે અને 23 લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને સારવા અર્થે નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘાયલ વ્યક્તિમાં 2ની સ્થિતી ગંભીર જણાવવામાં આવી રહી છે. હજી પણ કાટમાળમાં ઘણાં લોકો દબાયેલા હોવાની આશંકા છે. ઘટના સ્થળ પર NDRFની ટીમ પહોંચી ચૂકી છે અને CST રેલવે સ્ટેશન પર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે બ્રિજ જ્યારે તુટ્યો ત્યારે ત્યાં ઘણાં લોકો હાજર હતા. તેમજ તે સિવાય ઘણી ગાડીઓ પણ ત્યાં બ્રિજ નીચે હતી. પ્લેટફોર્મના 1 BT લેન પાસે આ પુલ તુટ્યો છે. મુંબઇ પોલીસે દુર્ઘટના સ્થળ પર ન જવા માટે લોકોને અપીલ કરી છે.
નોંધનીય છે કે, આ અગાઉ પણ મુંબઇના અલફિંસ્ટન રેલવે સ્ટેશન પર ફુટ ઓવર બ્રિજમાં ભાગદોડ થઇ હતી જેમાં 23 લોકોના મોત થયા હતા. જ્યારે 50 લોકો ઘાયલ થયા હતા.
મુંબઇના CST રેલવે સ્ટેશન પાસે ફુટઓવર બ્રિઝ ધરાશયી થતાં 5 લોકોના મૃત્યુ થયા છે અને 23 લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને સારવા અર્થે નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘાયલ વ્યક્તિમાં 2ની સ્થિતી ગંભીર જણાવવામાં આવી રહી છે. હજી પણ કાટમાળમાં ઘણાં લોકો દબાયેલા હોવાની આશંકા છે. ઘટના સ્થળ પર NDRFની ટીમ પહોંચી ચૂકી છે અને CST રેલવે સ્ટેશન પર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે બ્રિજ જ્યારે તુટ્યો ત્યારે ત્યાં ઘણાં લોકો હાજર હતા. તેમજ તે સિવાય ઘણી ગાડીઓ પણ ત્યાં બ્રિજ નીચે હતી. પ્લેટફોર્મના 1 BT લેન પાસે આ પુલ તુટ્યો છે. મુંબઇ પોલીસે દુર્ઘટના સ્થળ પર ન જવા માટે લોકોને અપીલ કરી છે.
નોંધનીય છે કે, આ અગાઉ પણ મુંબઇના અલફિંસ્ટન રેલવે સ્ટેશન પર ફુટ ઓવર બ્રિજમાં ભાગદોડ થઇ હતી જેમાં 23 લોકોના મોત થયા હતા. જ્યારે 50 લોકો ઘાયલ થયા હતા.