Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશના પાંચ દિવસીય પ્રવાસે છે. પ્રથમ દિવસે ફ્રાન્સની મુલાકાત દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમૈનુઅલ મેક્રોંએ કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાને દ્વિપક્ષીય રીતે કાશ્મીર મુદ્દાનું સમાધાન લાવવું જોઇએ અને ક્ષેત્રમાં કોઇ ત્રીજા પક્ષે ‘હસ્તક્ષેપ’ ન કરવો જોઇએ કે હિંસા ભડકાવવી ન જોઇએ. મોદીએ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે ફ્રાન્સને અવગત કરાવ્યું છે.

મૈક્રોએ કહ્યું, મે તેમને કહ્યું કે ભારત અને પાકિસ્તાને આ મુદ્દાનું સમાધાન કરવું જોઇએ અને કોઇ ત્રીજા પક્ષે દખલગીરી ન કરવી જોઇએ અને હિંસાને ભડકાવવી ન જોઇએ. વધુમાં કહ્યું કે, ક્ષેત્રમાં શાંતિ રાખવી જોઇએ અને લોકોના અધિકારોની રક્ષા કરવી જોઇએ. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કહ્યું કે હું થોડાક દિવસમાં પાકિસ્તાનના વડાપ્રધાન સાથે વાત કરીશ અને તેમને કહીશ કે વાર્તા દ્વિપક્ષીય હોવી જોઇએ. તેમજ ફ્રાન્સ આગામી મહિને ભારતને 36 રાફેલ ફાઇટર વિમાનમાંથી પ્રથમ વિમાન આપશે.


 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશના પાંચ દિવસીય પ્રવાસે છે. પ્રથમ દિવસે ફ્રાન્સની મુલાકાત દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમૈનુઅલ મેક્રોંએ કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાને દ્વિપક્ષીય રીતે કાશ્મીર મુદ્દાનું સમાધાન લાવવું જોઇએ અને ક્ષેત્રમાં કોઇ ત્રીજા પક્ષે ‘હસ્તક્ષેપ’ ન કરવો જોઇએ કે હિંસા ભડકાવવી ન જોઇએ. મોદીએ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે ફ્રાન્સને અવગત કરાવ્યું છે.

મૈક્રોએ કહ્યું, મે તેમને કહ્યું કે ભારત અને પાકિસ્તાને આ મુદ્દાનું સમાધાન કરવું જોઇએ અને કોઇ ત્રીજા પક્ષે દખલગીરી ન કરવી જોઇએ અને હિંસાને ભડકાવવી ન જોઇએ. વધુમાં કહ્યું કે, ક્ષેત્રમાં શાંતિ રાખવી જોઇએ અને લોકોના અધિકારોની રક્ષા કરવી જોઇએ. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કહ્યું કે હું થોડાક દિવસમાં પાકિસ્તાનના વડાપ્રધાન સાથે વાત કરીશ અને તેમને કહીશ કે વાર્તા દ્વિપક્ષીય હોવી જોઇએ. તેમજ ફ્રાન્સ આગામી મહિને ભારતને 36 રાફેલ ફાઇટર વિમાનમાંથી પ્રથમ વિમાન આપશે.


 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ