શિવસેનાના સાંસદ રવીન્દ્ર ગાયકવાડ એકવાર ફરી વિવાદોમાં છે. આ વખતે તેઓ લાતૂરમાં એટીએમ કામ નહી કરતું હોવાના મામલે પોલીસવાળાઓ સાથે બાખડી પડ્યા. ગાયકવાડ એસબીઆઇના ATM માંથી પૈસા કાઢવા માટે ગયા હતા, પરંતુ એટીએમમાં કેશ ન હતી. ગાયકવાડે ત્યાં સરકાર વિરુદ્ધ નારાબાજી શરૂ કરી દીધી. આ હોબાળા દરમિયાન ગાયકવાડની પોલીસ સાથે જોરદાર ઝઘડો પણ થયો.