-
કેન્સર રોગથી પિડિત ભાજપના ગોવાના ચકચારી મુખ્યમંત્રી મનોહર પર્રિકરની તબિયત એટલી બધી લથડી ગઇ છે કે ભાજપ દ્વારા હવે તેમના અનુગામીની શોધખોળ આરંભાઇ છે. મનોહર નહીં હોય તો ગોવાની ગાદી કોને સોંપવી અથવા કોને મળે તે માટેની મથામણ પર્યટન સ્થળ એવા ગોવામાં ચાલી રહી છે. બીજી તરફ ભાજપના એક ધારાસભ્યનું નિધન થતાં કોંગ્રેસે ભાજપ સરકાર લઘુમતિમાં આવી ગઇ હોવાનું જણાવીને રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો છે. મનોહર અગાઉ કેન્દ્રમાં સંરક્ષણમંત્રીપદે હતા અને વિવલાદા રફાલ સોદો તેમના કાર્યકાળમાં થયો હતો. તેમના એક મંત્રીએ તાજેતરમાં એક ઓડિયો ટેપમાં એવુ કહેતા સંભળાયા હતા કે મનોહર પર્રિકરને ભાજપ સીએમપદેથી હટાવી શકે તેમ નથી. કેમ કે રફાલ સોદાની ફાઇલો સીએમ મનોહરની પાસે છે અને તેમના બેડરૂમમાં પડેલી છે. આ ઓડિયો ટેપ કોંગ્રેસે જાહેર કરીને તપાસની માંગ કરી હતી. ગોવાનો મામલો ધીમે ધીમે ભાજપ માટે પેચીદો બની રહ્યો હોવાનો દાવો પણ સૂત્રોએ કર્યો હતો.
-
કેન્સર રોગથી પિડિત ભાજપના ગોવાના ચકચારી મુખ્યમંત્રી મનોહર પર્રિકરની તબિયત એટલી બધી લથડી ગઇ છે કે ભાજપ દ્વારા હવે તેમના અનુગામીની શોધખોળ આરંભાઇ છે. મનોહર નહીં હોય તો ગોવાની ગાદી કોને સોંપવી અથવા કોને મળે તે માટેની મથામણ પર્યટન સ્થળ એવા ગોવામાં ચાલી રહી છે. બીજી તરફ ભાજપના એક ધારાસભ્યનું નિધન થતાં કોંગ્રેસે ભાજપ સરકાર લઘુમતિમાં આવી ગઇ હોવાનું જણાવીને રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો છે. મનોહર અગાઉ કેન્દ્રમાં સંરક્ષણમંત્રીપદે હતા અને વિવલાદા રફાલ સોદો તેમના કાર્યકાળમાં થયો હતો. તેમના એક મંત્રીએ તાજેતરમાં એક ઓડિયો ટેપમાં એવુ કહેતા સંભળાયા હતા કે મનોહર પર્રિકરને ભાજપ સીએમપદેથી હટાવી શકે તેમ નથી. કેમ કે રફાલ સોદાની ફાઇલો સીએમ મનોહરની પાસે છે અને તેમના બેડરૂમમાં પડેલી છે. આ ઓડિયો ટેપ કોંગ્રેસે જાહેર કરીને તપાસની માંગ કરી હતી. ગોવાનો મામલો ધીમે ધીમે ભાજપ માટે પેચીદો બની રહ્યો હોવાનો દાવો પણ સૂત્રોએ કર્યો હતો.