Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે રફાલ વિમાન સોદા અંગે પોતાનો બચાવ કર્યો તે પછીના ગણતરીના કલાકોમાં કોંગ્રેસે ગોવાના આરોગ્યમંત્રી વિશ્વજીત પી. રાણેનો એક કથિત ઓડિયો જાહેર કરીને સનસનાટી મચાવી દીધી અને ભાજપને ક્ષોભજનક સિથિતિમાં મૂકાઇ જવું પડે તેમ આ ઓડિયોમાં ગોવાના મંત્રી કોઇ વ્યક્તિની સાથે વાતચીતમાં એમ કહે છે કે મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી મનોહર પરીર્કર દ્વારા એવું કહેવામાં આવ્યું કે રફાલ સોદાની તમામ ફાઇલો તેમની (મનોહરની) પાસે છે અને તેમના બેડરૂમમાં છે જે કોઇ લઇ શકે તેમ નથી. અને તેમનું એટલે કે મનોહરનું કોઇ કાંઇ બગાડી શકે તેમ નથી. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલેએ આજે સવારે પત્રકાર પરિષદ યોજીને આ ઓડિયો સંભળાવી અને તેની વિગતો પણ આપી હતી. કોંગ્રેસે દાવો કર્યો કે કેટલાક દિવસો પહેલા ગોવા મંત્રીમંડળની બેઠકમાંભારે હંગામો મચી ગયો હતો. પોતે સખ્ત બિમાર અને કેન્સરની સામે ઝઝુમી રહેલા મુખ્યમંત્રી મનોહર પણ આ બેઠકમાં પહોંચ્યા હતા અને સૌને કહ્યું હતું કે કોઇ તેમનાં કાંઇ બગાડી શકે તેમ નથી(કદાજ તેમને હટાવવાના મામલે કહી રહ્યાં હોય) કેમ કે રાફેલની તમામ ફાઇલો તેમની પાસે છે અને મારા બેડરૂમમાં છે. કોંગ્રેસે કહ્યું કે એટલા માટે જ ભાજપ મનોહરને સખ્ત બિમાર હોવા છતાં દૂર કરી શકતા નથી. નોંધનીય છે કે મનોહર રાફેલ વખતે કેન્દ્રમાં સંરક્ષણમંત્રી હતા. અને ત્યાંથી તેમને ફરીથી ગોવા મોકલીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં હતા.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે રફાલ વિમાન સોદા અંગે પોતાનો બચાવ કર્યો તે પછીના ગણતરીના કલાકોમાં કોંગ્રેસે ગોવાના આરોગ્યમંત્રી વિશ્વજીત પી. રાણેનો એક કથિત ઓડિયો જાહેર કરીને સનસનાટી મચાવી દીધી અને ભાજપને ક્ષોભજનક સિથિતિમાં મૂકાઇ જવું પડે તેમ આ ઓડિયોમાં ગોવાના મંત્રી કોઇ વ્યક્તિની સાથે વાતચીતમાં એમ કહે છે કે મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી મનોહર પરીર્કર દ્વારા એવું કહેવામાં આવ્યું કે રફાલ સોદાની તમામ ફાઇલો તેમની (મનોહરની) પાસે છે અને તેમના બેડરૂમમાં છે જે કોઇ લઇ શકે તેમ નથી. અને તેમનું એટલે કે મનોહરનું કોઇ કાંઇ બગાડી શકે તેમ નથી. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલેએ આજે સવારે પત્રકાર પરિષદ યોજીને આ ઓડિયો સંભળાવી અને તેની વિગતો પણ આપી હતી. કોંગ્રેસે દાવો કર્યો કે કેટલાક દિવસો પહેલા ગોવા મંત્રીમંડળની બેઠકમાંભારે હંગામો મચી ગયો હતો. પોતે સખ્ત બિમાર અને કેન્સરની સામે ઝઝુમી રહેલા મુખ્યમંત્રી મનોહર પણ આ બેઠકમાં પહોંચ્યા હતા અને સૌને કહ્યું હતું કે કોઇ તેમનાં કાંઇ બગાડી શકે તેમ નથી(કદાજ તેમને હટાવવાના મામલે કહી રહ્યાં હોય) કેમ કે રાફેલની તમામ ફાઇલો તેમની પાસે છે અને મારા બેડરૂમમાં છે. કોંગ્રેસે કહ્યું કે એટલા માટે જ ભાજપ મનોહરને સખ્ત બિમાર હોવા છતાં દૂર કરી શકતા નથી. નોંધનીય છે કે મનોહર રાફેલ વખતે કેન્દ્રમાં સંરક્ષણમંત્રી હતા. અને ત્યાંથી તેમને ફરીથી ગોવા મોકલીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ