-
શું લોકસભાની ચૂંટણીઓ મોડી થવા જઇ રહી છે..? આ પ્રશ્ન એટલા માટે ઉદભવી રહ્યો છે કેમ કે ગુજરાતના કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ સોશ્યલ મિડિયામાં શરૂ થયેલી માંગણી અને લાગણીનો પડઘો પાડીને જાહેર મંચ પરથી કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં ભલે મોડુ થાય, વાંધો નથી. પણ પુલવામા ખાતે શહિદ થયેલા 44 જવાનોની શહાદતનો બદલો લેવા અને પાકિસ્તાનને બરાબરનો પાઠ ભણાવવા માટે ભારતે તેના પર હુમલો કરવો જોઇએ. આરપારની લડાઇ લડી લેવી જોઇએ. જો કે આવી લાગણી દર્શાવતા મેસેજ સોશ્યલ મિડિયામાં ચૂનાવ રોક દો... પાકિસ્તાન કો ઠોક દો...ના ફરી રહ્યાં છે. નોંધનીય છે કે માર્ચના પ્રથમ સપ્તાહમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થવાની સંભાવના છે. અને જો પાકિસ્તાન સામે અત્યારે પગલા લેવાય તો ચૂંટણીઓ પર અસર થાય. તેથી ચૂંટણીઓ મોડી કરવી પડે તેમ મનાય છે અને મંત્રી વસાવાએ તેનો કોઇ ઇશારો તો નથી કર્યો ને..એવી પણ એક લાગણી જોવા મળી રહી છે.
-
શું લોકસભાની ચૂંટણીઓ મોડી થવા જઇ રહી છે..? આ પ્રશ્ન એટલા માટે ઉદભવી રહ્યો છે કેમ કે ગુજરાતના કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ સોશ્યલ મિડિયામાં શરૂ થયેલી માંગણી અને લાગણીનો પડઘો પાડીને જાહેર મંચ પરથી કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં ભલે મોડુ થાય, વાંધો નથી. પણ પુલવામા ખાતે શહિદ થયેલા 44 જવાનોની શહાદતનો બદલો લેવા અને પાકિસ્તાનને બરાબરનો પાઠ ભણાવવા માટે ભારતે તેના પર હુમલો કરવો જોઇએ. આરપારની લડાઇ લડી લેવી જોઇએ. જો કે આવી લાગણી દર્શાવતા મેસેજ સોશ્યલ મિડિયામાં ચૂનાવ રોક દો... પાકિસ્તાન કો ઠોક દો...ના ફરી રહ્યાં છે. નોંધનીય છે કે માર્ચના પ્રથમ સપ્તાહમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થવાની સંભાવના છે. અને જો પાકિસ્તાન સામે અત્યારે પગલા લેવાય તો ચૂંટણીઓ પર અસર થાય. તેથી ચૂંટણીઓ મોડી કરવી પડે તેમ મનાય છે અને મંત્રી વસાવાએ તેનો કોઇ ઇશારો તો નથી કર્યો ને..એવી પણ એક લાગણી જોવા મળી રહી છે.