વરસાદને લઈને રાજ્યના હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, “આવતી કાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. હવામાને દરિયાકાંઠાનાં વિસ્તારોને એલર્ટ રહેવા માટેનું જણાવ્યું છે અને તારીખ 21 જૂન સુધી રાજ્યમાં માછીમારોને દરિયો ન ખેડવા માટેની સ્પષ્ટ સૂચના આપી દીધી છે.”
બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે,
“આગામી 23 જૂન બાદ રાજ્યમાં ભારે વરસાદ વરસવાની શકયતા છે. ઉનાળાની કાળઝાળ ગરમી બાદ ચોમાસાની ઋતુનો પ્રારંભ થતા અરબી સમુદ્રમાં સર્જાયેલા નિસર્ગ વાવાઝોડાંને પગલે આ વખતે વાતાવરણમાં એટલે કે હવામાનમાં અચાનક વહેલા પલટો આવ્યો છે.”
જો કે વાતાવરણમાં થયેલા આ ફેરફારને કારણે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાંક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થઇ ગયું છે. જો કે બીજી બાજુ આકાશમાં વાદળછાયાં વાતાવરણને કારણે બફારાને લીધે વધતા જતા મહત્તમ તાપમાનમાં વધારો પણ થયો છે. ત્યારે એવામાં હવામાન વિભાગે આગામી 20 જૂનથી 23 જૂન સુધી બનાસકાંઠા સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે તેવી આગાહી કરી છે.
વરસાદને લઈને રાજ્યના હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, “આવતી કાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. હવામાને દરિયાકાંઠાનાં વિસ્તારોને એલર્ટ રહેવા માટેનું જણાવ્યું છે અને તારીખ 21 જૂન સુધી રાજ્યમાં માછીમારોને દરિયો ન ખેડવા માટેની સ્પષ્ટ સૂચના આપી દીધી છે.”
બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે,
“આગામી 23 જૂન બાદ રાજ્યમાં ભારે વરસાદ વરસવાની શકયતા છે. ઉનાળાની કાળઝાળ ગરમી બાદ ચોમાસાની ઋતુનો પ્રારંભ થતા અરબી સમુદ્રમાં સર્જાયેલા નિસર્ગ વાવાઝોડાંને પગલે આ વખતે વાતાવરણમાં એટલે કે હવામાનમાં અચાનક વહેલા પલટો આવ્યો છે.”
જો કે વાતાવરણમાં થયેલા આ ફેરફારને કારણે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાંક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થઇ ગયું છે. જો કે બીજી બાજુ આકાશમાં વાદળછાયાં વાતાવરણને કારણે બફારાને લીધે વધતા જતા મહત્તમ તાપમાનમાં વધારો પણ થયો છે. ત્યારે એવામાં હવામાન વિભાગે આગામી 20 જૂનથી 23 જૂન સુધી બનાસકાંઠા સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે તેવી આગાહી કરી છે.