-
અંદાજે 3 કરકોડની ખનિજ ચોરીના 1995ના જુના કેસમાં નીચલી કોર્ટે કોંગ્રેસના તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઇ બારડને 1 માર્ચના રોજ 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારતાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાને મળેલી સત્તાની રૂએ બારડનું સભ્યપદ રદ કરીને તેમને બરખાસ્ત કરીને તેમની બેઠક ખાલી પડી હોવાનું જાહેર કર્યું હતું. આ સાથે કોંગ્રેસના આશાબેન પટેલ પછી ભગવાનભાઇ બારડની બેઠક ગુમાવી છે. આજે આ અંગેની જાહેરાત કરીને અધ્યક્ષે કહ્યું કે બારડ હવે વિધાનસભાના સભ્ય નથી એની જાણ કલેક્ટર સહિત સૌ તંત્રને કરી દેવામાં આવી છે. આ સાથે વિધાનસભામાં હવે બે બેઠકોની પેટા ચૂંટણી યોજવા પડશે. વિધાનસભામાં પક્ષવાર સ્થિતિ જોઇએ તો ભાજપ-100, કોંગ્રેસ -74, એનસીપી-1, બીટીપી-2, અન્યો-3 મળીને 180 સભ્યો છે. બે બેઠક ખાલી છે. જો કે કોંગ્રેસે અધ્યક્ષની આ કાર્યવાહીને રાજકીય ગણાવીને તેને કોર્ટમાં પડકારવાનું વિચારાશે એમ કહ્યું હતું.
-
અંદાજે 3 કરકોડની ખનિજ ચોરીના 1995ના જુના કેસમાં નીચલી કોર્ટે કોંગ્રેસના તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઇ બારડને 1 માર્ચના રોજ 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારતાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાને મળેલી સત્તાની રૂએ બારડનું સભ્યપદ રદ કરીને તેમને બરખાસ્ત કરીને તેમની બેઠક ખાલી પડી હોવાનું જાહેર કર્યું હતું. આ સાથે કોંગ્રેસના આશાબેન પટેલ પછી ભગવાનભાઇ બારડની બેઠક ગુમાવી છે. આજે આ અંગેની જાહેરાત કરીને અધ્યક્ષે કહ્યું કે બારડ હવે વિધાનસભાના સભ્ય નથી એની જાણ કલેક્ટર સહિત સૌ તંત્રને કરી દેવામાં આવી છે. આ સાથે વિધાનસભામાં હવે બે બેઠકોની પેટા ચૂંટણી યોજવા પડશે. વિધાનસભામાં પક્ષવાર સ્થિતિ જોઇએ તો ભાજપ-100, કોંગ્રેસ -74, એનસીપી-1, બીટીપી-2, અન્યો-3 મળીને 180 સભ્યો છે. બે બેઠક ખાલી છે. જો કે કોંગ્રેસે અધ્યક્ષની આ કાર્યવાહીને રાજકીય ગણાવીને તેને કોર્ટમાં પડકારવાનું વિચારાશે એમ કહ્યું હતું.