Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • પાટીદાર અનામત આંદોલન સમિતિ આજે 25 જિલ્લાના કન્વીનર દ્વારા ગાંધીનગર ખાતે ઓબીસી કમિશનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. હાર્દિક પટેલ, મનોજ પનારા સહિતના પાસના આગેવાનો હાજર રહ્યા હતા.પાસ દ્વારા પાટીદાર સમાજનો સરવે કરવામાં આવે તેની માંગ કરવામાં આવી હતી. પાટીદાર સમાજની માંગણી એટલી જ છે કે પાટીદાર સમાજનો સામાજિક અને આર્થિક રૂપે એક ઈમાનદારીથી સરવે કરવામાં આવે, જેના થકી પાટીદાર સમાજમાં કેટલા ટકા લોકો ગરીબ છે, કેટલા ટકા પરિવારો પાસે નોકરી છે, કેટલા ટકા પરિવારો પાસે સારું શિક્ષણ છે, કેટલા ટકા પરિવારો પાસે જમીન છે. હાર્દિકે એવો દાવો કર્યો કે ઓબીસી કમિશન સમક્ષ રજૂઆત કરતી વખતે ઓબીસી કમિશન ઓફ ઈન્ડીયાને જે સવિશેષ અધિકાર આપવામાં આવ્યા છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં બંધારણના આર્ટીકલ 15 પ્રમાણે કમિશનને અધિકાર છે કે કોઈ પણ જાતિને અનામતમાં સમાવવા માટે કાર્યવાહી કરી શકે છે. ગુજરાતની ભાજપ સરકાર પાસે અપેક્ષા છે કે કમિશનને સત્તા છે ત્યારે હવે પાટીદારોને અનામત મામલે પોઝીટીવ વિચાર કરશે. પાછલા 25 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ સરકારે પાટીદારોને ગુમરાહ કરવાનું કામ કર્યું છે અને બંધારણના નામે 50 ટકાથી વધારે અનામત ન આપી શકાય તેવું જણાવી લોકોને ગેરમાર્ગે દાર્યા છે. 17થી 18 ટકા પાટીદારોનો સરવે કરી તેમને સામાજિક અને આર્થિક રીતે અનામત આપવામાં આવે.

  • પાટીદાર અનામત આંદોલન સમિતિ આજે 25 જિલ્લાના કન્વીનર દ્વારા ગાંધીનગર ખાતે ઓબીસી કમિશનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. હાર્દિક પટેલ, મનોજ પનારા સહિતના પાસના આગેવાનો હાજર રહ્યા હતા.પાસ દ્વારા પાટીદાર સમાજનો સરવે કરવામાં આવે તેની માંગ કરવામાં આવી હતી. પાટીદાર સમાજની માંગણી એટલી જ છે કે પાટીદાર સમાજનો સામાજિક અને આર્થિક રૂપે એક ઈમાનદારીથી સરવે કરવામાં આવે, જેના થકી પાટીદાર સમાજમાં કેટલા ટકા લોકો ગરીબ છે, કેટલા ટકા પરિવારો પાસે નોકરી છે, કેટલા ટકા પરિવારો પાસે સારું શિક્ષણ છે, કેટલા ટકા પરિવારો પાસે જમીન છે. હાર્દિકે એવો દાવો કર્યો કે ઓબીસી કમિશન સમક્ષ રજૂઆત કરતી વખતે ઓબીસી કમિશન ઓફ ઈન્ડીયાને જે સવિશેષ અધિકાર આપવામાં આવ્યા છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં બંધારણના આર્ટીકલ 15 પ્રમાણે કમિશનને અધિકાર છે કે કોઈ પણ જાતિને અનામતમાં સમાવવા માટે કાર્યવાહી કરી શકે છે. ગુજરાતની ભાજપ સરકાર પાસે અપેક્ષા છે કે કમિશનને સત્તા છે ત્યારે હવે પાટીદારોને અનામત મામલે પોઝીટીવ વિચાર કરશે. પાછલા 25 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ સરકારે પાટીદારોને ગુમરાહ કરવાનું કામ કર્યું છે અને બંધારણના નામે 50 ટકાથી વધારે અનામત ન આપી શકાય તેવું જણાવી લોકોને ગેરમાર્ગે દાર્યા છે. 17થી 18 ટકા પાટીદારોનો સરવે કરી તેમને સામાજિક અને આર્થિક રીતે અનામત આપવામાં આવે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ