ગુજરાતમાં પ્રવેશતા મુસાફરો માટે આરોગ્યની ચકાસણી ફરજિયાત બનાવી દેવાઈ છે. રાજ્યના ગૃહ વિભાગે ગુજરાતમાં પ્રવેશથી ચેકપોસ્ટ ઉપર બહારથી આવતા પ્રવાસીઓ કે મુસાફરોની આરોગ્ય ચકાસણી થાય તેવી વ્યવસ્થા કરવા આરોગ્ય વિભાગને આદેશ કર્યો છે. જો કોઇ બહારથી આવતા મુસાફરમાં કોઈ પણ પ્રકારનાં લક્ષણ દેખાય તો તાત્કાલિક અસરથી તેનું સંપૂર્ણ પરીક્ષણ કરવા માટે પણ આદેશ કર્યો છે. સાથે જ રાજ્યની તમામ ચેકપોસ્ટો પર આરોગ્ય પરીક્ષણ કરી શકાય તેવી વ્યવસ્થા કરવા માટે પણ કહેવાયું છે.
ગુજરાતમાં પ્રવેશતા મુસાફરો માટે આરોગ્યની ચકાસણી ફરજિયાત બનાવી દેવાઈ છે. રાજ્યના ગૃહ વિભાગે ગુજરાતમાં પ્રવેશથી ચેકપોસ્ટ ઉપર બહારથી આવતા પ્રવાસીઓ કે મુસાફરોની આરોગ્ય ચકાસણી થાય તેવી વ્યવસ્થા કરવા આરોગ્ય વિભાગને આદેશ કર્યો છે. જો કોઇ બહારથી આવતા મુસાફરમાં કોઈ પણ પ્રકારનાં લક્ષણ દેખાય તો તાત્કાલિક અસરથી તેનું સંપૂર્ણ પરીક્ષણ કરવા માટે પણ આદેશ કર્યો છે. સાથે જ રાજ્યની તમામ ચેકપોસ્ટો પર આરોગ્ય પરીક્ષણ કરી શકાય તેવી વ્યવસ્થા કરવા માટે પણ કહેવાયું છે.