જીએસટી કાઉન્સિલની મંગળવારે મળેલી ૩૪મી બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ખાસ કરીને ૩૩મી બેઠક દરમિયાન રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં લાગુ કરવામાં આવેલા જીએસટીના દર ફરીથી સુધારીને નવા દર લાગુ કરાયા હતા. આ સુધારા ૧ એપ્રિલ ૨૦૧૯થી લાગુ કરવામાં આવશે. બિલ્ડર્સને રાહત આપતા જીએસટી કાઉન્સીને નિર્માણાધીન મકાનો ઉપર જૂના અને નવા બંનેમાંથી એક ટેક્સ સ્લેબને પસંદગી કરવાનો વિકલ્પ આપ્યો છે. નવા દર પ્રમાણે નિર્માણાધીન એફોર્ડેબલ મકાનો ઉપર લાગુ કરાયેલા ૮ ટકાના દર ઘટાડીને ૧ ટકા કરવામાં આવ્યા છે જ્યારે અન્ય મકાનો ઉપર લાગુ કરાયેલા ૧૨ ટકાના દર ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યા છે. તેના કારણે બિલ્ડર્સની સાથે સાથે સામાન્ય લોકોને પણ રાહત થશે.
જીએસટી કાઉન્સિલની મંગળવારે મળેલી ૩૪મી બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ખાસ કરીને ૩૩મી બેઠક દરમિયાન રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં લાગુ કરવામાં આવેલા જીએસટીના દર ફરીથી સુધારીને નવા દર લાગુ કરાયા હતા. આ સુધારા ૧ એપ્રિલ ૨૦૧૯થી લાગુ કરવામાં આવશે. બિલ્ડર્સને રાહત આપતા જીએસટી કાઉન્સીને નિર્માણાધીન મકાનો ઉપર જૂના અને નવા બંનેમાંથી એક ટેક્સ સ્લેબને પસંદગી કરવાનો વિકલ્પ આપ્યો છે. નવા દર પ્રમાણે નિર્માણાધીન એફોર્ડેબલ મકાનો ઉપર લાગુ કરાયેલા ૮ ટકાના દર ઘટાડીને ૧ ટકા કરવામાં આવ્યા છે જ્યારે અન્ય મકાનો ઉપર લાગુ કરાયેલા ૧૨ ટકાના દર ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યા છે. તેના કારણે બિલ્ડર્સની સાથે સાથે સામાન્ય લોકોને પણ રાહત થશે.