મન કી બાત કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમના ૫૦ એપિસોડ પૂરા થતાં પૂરા દેશને શુભેચ્છા આપી હતી. મોદીએ કહ્યું હતું કે આ એક એવો કાર્યક્રમ છે કે જેમાં અવાજ મારો છે પણ ભાવનાં લોકોની છે. મન કી બાત કાર્યક્રમનાં આ સંસ્કરણમાં બંધારણદિવસ અને ગુરુનાનક જયંતી સાથે સંકળાયેલી અનેક મહત્ત્વપૂર્ણ વાત થઈ હતી.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, ‘પાંચ ઓક્ટોબર ૨૦૧૪ના રોજ મન કી બાત શરૂ થઈ હતી, તેના ૫૦ એપિસોડ પૂરા થયા છે. આ વખતે ગોલ્ડન જ્યુબિલી એપિસોડ છે. તમારા તરફથી જે પત્રો આવ્યા છે તે પૈકી મોટાભાગના પત્રમાં આ સંબંધી પ્રશ્નો જ છે. અનેક લોકોએ પૂછયું છે કે આજના યુગમાં કે જ્યારે રેડિયોને ભુલાવી દેવામાં આવ્યો છે ત્યારે મોદીએ આ કાર્યક્રમ માટે રેડિયો પર જ શા માટે પસંદગી ઉતારી?’
મન કી બાત કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમના ૫૦ એપિસોડ પૂરા થતાં પૂરા દેશને શુભેચ્છા આપી હતી. મોદીએ કહ્યું હતું કે આ એક એવો કાર્યક્રમ છે કે જેમાં અવાજ મારો છે પણ ભાવનાં લોકોની છે. મન કી બાત કાર્યક્રમનાં આ સંસ્કરણમાં બંધારણદિવસ અને ગુરુનાનક જયંતી સાથે સંકળાયેલી અનેક મહત્ત્વપૂર્ણ વાત થઈ હતી.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, ‘પાંચ ઓક્ટોબર ૨૦૧૪ના રોજ મન કી બાત શરૂ થઈ હતી, તેના ૫૦ એપિસોડ પૂરા થયા છે. આ વખતે ગોલ્ડન જ્યુબિલી એપિસોડ છે. તમારા તરફથી જે પત્રો આવ્યા છે તે પૈકી મોટાભાગના પત્રમાં આ સંબંધી પ્રશ્નો જ છે. અનેક લોકોએ પૂછયું છે કે આજના યુગમાં કે જ્યારે રેડિયોને ભુલાવી દેવામાં આવ્યો છે ત્યારે મોદીએ આ કાર્યક્રમ માટે રેડિયો પર જ શા માટે પસંદગી ઉતારી?’