કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ શુક્રવારે સંસદ પરિસરમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો રાફેલ યુદ્ધવિમાન સોદાનું ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન કરાશે અને તેમાં દોષિત ઠરનાર તમામને સજા કરાશે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને સમગ્ર વિપક્ષ ઇચ્છે છે કે, વડા પ્રધાન મોદી વતી સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામન સંસદમાં જવાબ આપે ત્યારે કોંગ્રેસ દ્વારા પુછાયેલા સવાલના જવાબ તેમાં હોય. રાહુલ ગાંધીએ સીતારામનને સીધો સવાલ કર્યો હતો કે, શું સંરક્ષણમંત્રાલય અને તે અંગે ચર્ચા કરનારી ટીમ દ્વારા રજૂ કરાયેલા રાફેલ કોન્ટ્રાક્ટ પર કોઈ વાંધો ઉઠાવાયો હતો કે નહીં?
કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ શુક્રવારે સંસદ પરિસરમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો રાફેલ યુદ્ધવિમાન સોદાનું ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન કરાશે અને તેમાં દોષિત ઠરનાર તમામને સજા કરાશે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને સમગ્ર વિપક્ષ ઇચ્છે છે કે, વડા પ્રધાન મોદી વતી સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામન સંસદમાં જવાબ આપે ત્યારે કોંગ્રેસ દ્વારા પુછાયેલા સવાલના જવાબ તેમાં હોય. રાહુલ ગાંધીએ સીતારામનને સીધો સવાલ કર્યો હતો કે, શું સંરક્ષણમંત્રાલય અને તે અંગે ચર્ચા કરનારી ટીમ દ્વારા રજૂ કરાયેલા રાફેલ કોન્ટ્રાક્ટ પર કોઈ વાંધો ઉઠાવાયો હતો કે નહીં?