Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિહારનાં પટના શહેરનાં ગાંધી મેદાન ખાતે ૨૮ વર્ષ બાદ કોંગ્રેસ દ્વારા આયોજિત જનઆકાંક્ષા રેલીને સંબોધન કરતાં કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ ઐતિહાસિક જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોનાં દેવાં માફ કરાશે અને દેશની દરેક ગરીબ વ્યક્તિને મિનિમમ ઇન્કમની ગેરંટી અપાશે. દરેક ગરીબનાં બેન્કખાતામાં એક ચોક્કસ રકમ જમા કરાવવામાં આવશે. ભાજપ સરકારે દેશના ખેડૂતોની સાથે મજાક કરી ખેડૂત પરિવારના એક સભ્ય માટે રોજના રૂપિયા ૩.૫૦ની સહાય આપવાની જાહેરાત કરી છે પરંતુ કોંગ્રેસ આવી મજાક નહીં કરે. કોંગ્રેસે દરેક નાગરિકની લઘુતમ આવકની ગેરંટી લેશે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભાજપ ફક્ત વચનો આપે છે પરંતુ કોંગ્રેસ વચનો પાળી બતાવે છે. શું ભાજપે આપેલાં વચન પ્રમાણે કોઈનાં બેન્કખાતામાં રૂપિયા ૧૫ લાખ જમા થયા ખરા? અમે સત્તામાં આવ્યાના થોડા જ દિવસોમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ખેડૂતોનાં દેવાં માફ કરી દેવાની જાહેરાત કરી દીધી હતી.

બિહારનાં પટના શહેરનાં ગાંધી મેદાન ખાતે ૨૮ વર્ષ બાદ કોંગ્રેસ દ્વારા આયોજિત જનઆકાંક્ષા રેલીને સંબોધન કરતાં કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ ઐતિહાસિક જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોનાં દેવાં માફ કરાશે અને દેશની દરેક ગરીબ વ્યક્તિને મિનિમમ ઇન્કમની ગેરંટી અપાશે. દરેક ગરીબનાં બેન્કખાતામાં એક ચોક્કસ રકમ જમા કરાવવામાં આવશે. ભાજપ સરકારે દેશના ખેડૂતોની સાથે મજાક કરી ખેડૂત પરિવારના એક સભ્ય માટે રોજના રૂપિયા ૩.૫૦ની સહાય આપવાની જાહેરાત કરી છે પરંતુ કોંગ્રેસ આવી મજાક નહીં કરે. કોંગ્રેસે દરેક નાગરિકની લઘુતમ આવકની ગેરંટી લેશે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભાજપ ફક્ત વચનો આપે છે પરંતુ કોંગ્રેસ વચનો પાળી બતાવે છે. શું ભાજપે આપેલાં વચન પ્રમાણે કોઈનાં બેન્કખાતામાં રૂપિયા ૧૫ લાખ જમા થયા ખરા? અમે સત્તામાં આવ્યાના થોડા જ દિવસોમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ખેડૂતોનાં દેવાં માફ કરી દેવાની જાહેરાત કરી દીધી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ