કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે છત્તીસગઢમાં વચન આપ્યું હતું કે વર્ષ ૨૦૧૯માં કોંગ્રેસ સત્તા પર આવશે કે દેશના પ્રત્યેક ગરીબને લઘુતમ વેતનની બાંયધરી આપવામાં આવશે. રાહુલે કહ્યું કે આ ઐતિહાસિક પગલું લેવાતાં ગરીબી અને ભૂખમરો નાબૂદ કરવામાં મદદ મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ બે ભારત બનાવવા માગે છે. એક ભારત રાફેલ ગોટાળા અને ઉદ્યોગપતિ મિત્રોનું અને બીજું ગરીબોનું ભારત. પાક વીમા યોજના સામે સવાલ ઉઠાવતાં રાહુલે જણાવ્યું હતું કે શું કારણ છે કે વીમા કંપનીને નાણાં આપ્યા પછી ખેડૂતોને કરા પડતાં વળતરના નાણાં નથી મળતા? પૂરો ફાયદો અનિલ અંબાણીની કંપનીને કેમ થાય છે? નવા રાયપુર ખાતે ખેડૂત રેલીને સંબોધતાં રાહુલે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ મનરેગા યોજના હેઠળ ૧૦૦ દિવસની રોજગારીની બાંયધરી આપી હતી, માહિતી અધિકાર આપીને જનતાને નોકરશાહી સુધી પહોંચવાના દરવાજા ખોલી આપ્યા હતા, ભોજનનો અધિકાર પણ આપ્યો અને હવે લઘુતમ આવકની ગેરંટી આપશે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે છત્તીસગઢમાં વચન આપ્યું હતું કે વર્ષ ૨૦૧૯માં કોંગ્રેસ સત્તા પર આવશે કે દેશના પ્રત્યેક ગરીબને લઘુતમ વેતનની બાંયધરી આપવામાં આવશે. રાહુલે કહ્યું કે આ ઐતિહાસિક પગલું લેવાતાં ગરીબી અને ભૂખમરો નાબૂદ કરવામાં મદદ મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ બે ભારત બનાવવા માગે છે. એક ભારત રાફેલ ગોટાળા અને ઉદ્યોગપતિ મિત્રોનું અને બીજું ગરીબોનું ભારત. પાક વીમા યોજના સામે સવાલ ઉઠાવતાં રાહુલે જણાવ્યું હતું કે શું કારણ છે કે વીમા કંપનીને નાણાં આપ્યા પછી ખેડૂતોને કરા પડતાં વળતરના નાણાં નથી મળતા? પૂરો ફાયદો અનિલ અંબાણીની કંપનીને કેમ થાય છે? નવા રાયપુર ખાતે ખેડૂત રેલીને સંબોધતાં રાહુલે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ મનરેગા યોજના હેઠળ ૧૦૦ દિવસની રોજગારીની બાંયધરી આપી હતી, માહિતી અધિકાર આપીને જનતાને નોકરશાહી સુધી પહોંચવાના દરવાજા ખોલી આપ્યા હતા, ભોજનનો અધિકાર પણ આપ્યો અને હવે લઘુતમ આવકની ગેરંટી આપશે.