અરુણ જેટલીએ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં હાલ યુદ્ધ જેવી સ્થિતિ છે. ત્યાં આર્મી કોઈ પણ નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. આર્મીના મેજર દ્વારા જીપના બોનેટ પર પથ્થરબાજને બાંધવાના આરોપની વિવાદ થઈ ગયો છે. ઉમર અબ્દુલાએ આ ઘટનાનો વિરોધ કર્યો છે. બીજેપી સાંસદ પરેશ રાવલે તો ત્યાં સુધી કહ્યું છે કે, જીપ પર પથ્થરબાજને બાંધવાની જગ્યાએ અરુંધતી રોયને બાંધવી જોઈએ.