બાબરી ધ્વંસ કેસમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ દ્વારા ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલીમનોહર જોશી તેમજ ઉમા ભારતી, વિનય કટિયાર, વિશ્વ હિંદુ પરિષદના નેતા સહિત અન્ય તમામ આરોપીઓને ૩૦મી તારીખે કોર્ટમાં હાજર થવા આદેશ આપવામાં આવ્યો છે. આ કેસના તમામ ૧૧ આરોપી સામે ૩૦મીએ કોર્ટ દ્વારા આરોપો ઘડવામાં આવશે. કોર્ટે વિવાદિત ઢાંચો તોડી પાડવાનાં કૃત્યને દેશનાં બંધારણ વિરોધી અને બિનસાંપ્રદાયિક છબીને ખરડાવનારું ગણાવ્યું હતું. જજ સુરેન્દ્રકુમારે કહ્યું કે હવે આ કેસમાં કોઈ બહાનાબાજી નહીં ચાલે. આમ ભાજપ નેતા અડવાણી, ઉમા ભારતી અને જોશીની મુશ્કેલીમાં વધારો થયો છે.
બાબરી ધ્વંસ કેસમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ દ્વારા ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલીમનોહર જોશી તેમજ ઉમા ભારતી, વિનય કટિયાર, વિશ્વ હિંદુ પરિષદના નેતા સહિત અન્ય તમામ આરોપીઓને ૩૦મી તારીખે કોર્ટમાં હાજર થવા આદેશ આપવામાં આવ્યો છે. આ કેસના તમામ ૧૧ આરોપી સામે ૩૦મીએ કોર્ટ દ્વારા આરોપો ઘડવામાં આવશે. કોર્ટે વિવાદિત ઢાંચો તોડી પાડવાનાં કૃત્યને દેશનાં બંધારણ વિરોધી અને બિનસાંપ્રદાયિક છબીને ખરડાવનારું ગણાવ્યું હતું. જજ સુરેન્દ્રકુમારે કહ્યું કે હવે આ કેસમાં કોઈ બહાનાબાજી નહીં ચાલે. આમ ભાજપ નેતા અડવાણી, ઉમા ભારતી અને જોશીની મુશ્કેલીમાં વધારો થયો છે.