સમગ્ર દેશ કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય લોકો, વેપારીઓ, ઉદ્યોગોને આ સંકટમાંથી બહાર આવવા માટે રાહતોની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રાહતના ડોઝની જાહેરાત કરવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે, ઉદ્યોગો માટે ટૂંક સમયમાં જ રાહત પેકેજ જારી કરવામાં આવશે. તે ઉપરાંત આગામી ત્રણ મહિના સુધી લોકોને કોઈપણ એટીએમમાંથી રોકડ રકમ કાઢવા દેવામાં આવશે. આ ટ્રાન્ઝેક્શન ઉપર કોઈ ચાર્જ લાગશે નહીં.
સમગ્ર દેશ કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય લોકો, વેપારીઓ, ઉદ્યોગોને આ સંકટમાંથી બહાર આવવા માટે રાહતોની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રાહતના ડોઝની જાહેરાત કરવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે, ઉદ્યોગો માટે ટૂંક સમયમાં જ રાહત પેકેજ જારી કરવામાં આવશે. તે ઉપરાંત આગામી ત્રણ મહિના સુધી લોકોને કોઈપણ એટીએમમાંથી રોકડ રકમ કાઢવા દેવામાં આવશે. આ ટ્રાન્ઝેક્શન ઉપર કોઈ ચાર્જ લાગશે નહીં.