અવળચંડા પાકિસ્તાનને ભારતે આખરે તેની ભાષામાં જવાબ આપ્યો છે. એલઓસી પારથી વારંવાર ભારતની સીમામાં ગોળીબાર કરીને સરહદો સળગતી રાખવાનો મનસૂબો સેવતા પાક.ના એલઓસી પર આવેલાં આર્મી હેડક્વાર્ટરને ભારતે ફંકી માર્યું છે. આ ઘટનામાં પાક. સેનાને ભારે નુકસાન થયું છે. ૨૩ ઓક્ટોબરે પૂંછ જિલ્લામાં એલઓસી પર પાક. દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતે પાક.ને વારંવાર સીઝફાયર નહીં કરવા ચેતવણી આપી હતી, આમ છતાં પાક.ની સાન ઠેકાણે આવી ન હતી, આથી ભારતે સર્જિકલ સ્ટ્રાઇકના અંદાજમાં જ પાક. પર આક્રમણ કર્યું હતું. ભારતે પીઓકેમાં આતંકીઓનાં લોન્ચપેડને નિશાન બનાવ્યાં હતાં અને હજિરા તેમજ રાવલકોટ સેક્ટરમાં ધમધમતાં આતંકીઓનાં કેટલાંક લોન્ચપેડ તબાહ કરાયાં હતાં.
અવળચંડા પાકિસ્તાનને ભારતે આખરે તેની ભાષામાં જવાબ આપ્યો છે. એલઓસી પારથી વારંવાર ભારતની સીમામાં ગોળીબાર કરીને સરહદો સળગતી રાખવાનો મનસૂબો સેવતા પાક.ના એલઓસી પર આવેલાં આર્મી હેડક્વાર્ટરને ભારતે ફંકી માર્યું છે. આ ઘટનામાં પાક. સેનાને ભારે નુકસાન થયું છે. ૨૩ ઓક્ટોબરે પૂંછ જિલ્લામાં એલઓસી પર પાક. દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતે પાક.ને વારંવાર સીઝફાયર નહીં કરવા ચેતવણી આપી હતી, આમ છતાં પાક.ની સાન ઠેકાણે આવી ન હતી, આથી ભારતે સર્જિકલ સ્ટ્રાઇકના અંદાજમાં જ પાક. પર આક્રમણ કર્યું હતું. ભારતે પીઓકેમાં આતંકીઓનાં લોન્ચપેડને નિશાન બનાવ્યાં હતાં અને હજિરા તેમજ રાવલકોટ સેક્ટરમાં ધમધમતાં આતંકીઓનાં કેટલાંક લોન્ચપેડ તબાહ કરાયાં હતાં.