ભારતમાં રિઝર્વ બેન્ક અને કેન્દ્ર સરકાર વચ્ચે મતભેદો વકરી રહ્યા છે અને વિવાદ વધી રહ્યો છે ત્યારે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળે(IMF) આરબીઆઈને સ્વાયત્તતા આપવા અને તેનાં કામકાજમાં સ્વતંત્રતા જાળવવાની તરફેણ કરી છે. આઈએમએફે કહ્યું હતું કે તે આરબીઆઈ અને સરકાર વચ્ચેના ગજગ્રાહ પર સતત નજર રાખી રહ્યું છે. વિશ્વમાં કોઈપણ દેશની સેન્ટ્રલ બેન્કની સ્વાયત્તતા જળવાવી જોઈએ તેને છીનવી લેવાના પ્રયાસો થવા જોઈએ નહીં. તેણે કોઈપણ દેશની સેન્ટ્રલ બેન્કની સ્વાયત્તતા પર તરાપ મારવાના પ્રયાસોનો વિરોધ કર્યો હતો.
ભારતમાં રિઝર્વ બેન્ક અને કેન્દ્ર સરકાર વચ્ચે મતભેદો વકરી રહ્યા છે અને વિવાદ વધી રહ્યો છે ત્યારે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળે(IMF) આરબીઆઈને સ્વાયત્તતા આપવા અને તેનાં કામકાજમાં સ્વતંત્રતા જાળવવાની તરફેણ કરી છે. આઈએમએફે કહ્યું હતું કે તે આરબીઆઈ અને સરકાર વચ્ચેના ગજગ્રાહ પર સતત નજર રાખી રહ્યું છે. વિશ્વમાં કોઈપણ દેશની સેન્ટ્રલ બેન્કની સ્વાયત્તતા જળવાવી જોઈએ તેને છીનવી લેવાના પ્રયાસો થવા જોઈએ નહીં. તેણે કોઈપણ દેશની સેન્ટ્રલ બેન્કની સ્વાયત્તતા પર તરાપ મારવાના પ્રયાસોનો વિરોધ કર્યો હતો.