પીએમ મોદીએ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનાં ૯૪મા જન્મદિવસે આસામમાં બ્રહ્મપુત્ર નદી પર બનાવવામાં આવેલો દેશનો લાંબામાં લાંબો રેલવે – રોડ બ્રિજ બોગીબિલ દેશને સમર્પિત કર્યો હતો. આ પુલને કારણે અરુણાચલ પ્રદેશમાંથી ચીનની બોર્ડર સુધી રેલવે અને રસ્તા માર્ગે જવાનું લશ્કર માટે આસાન બનશે. મોદીએ બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે, અહીંયાં કેટલાક લોકો એવા છે જે ૧૬ વર્ષ પહેલાં પણ અહીંયાં આવ્યા હતા જ્યારે અટલજીએ આ બ્રિજનું નિર્માણ શરૂ કરાવ્યું હતું. કમનસીબી એ છે કે, ૨૦૦૪માં અટલજીની સરકાર ગયા બાદ દેશમાં ઘણા મોટા પ્રોજેક્ટની જેમ આ પ્રોજેક્ટ પણ અટકી ગયો હતો. જો દેશમાં અટલજીની સરકાર ફરી આવી હોત તો આ બ્રિજ ૨૦૦૮માં જ તૈયાર થઈ ગયો હતો.
પીએમ મોદીએ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનાં ૯૪મા જન્મદિવસે આસામમાં બ્રહ્મપુત્ર નદી પર બનાવવામાં આવેલો દેશનો લાંબામાં લાંબો રેલવે – રોડ બ્રિજ બોગીબિલ દેશને સમર્પિત કર્યો હતો. આ પુલને કારણે અરુણાચલ પ્રદેશમાંથી ચીનની બોર્ડર સુધી રેલવે અને રસ્તા માર્ગે જવાનું લશ્કર માટે આસાન બનશે. મોદીએ બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે, અહીંયાં કેટલાક લોકો એવા છે જે ૧૬ વર્ષ પહેલાં પણ અહીંયાં આવ્યા હતા જ્યારે અટલજીએ આ બ્રિજનું નિર્માણ શરૂ કરાવ્યું હતું. કમનસીબી એ છે કે, ૨૦૦૪માં અટલજીની સરકાર ગયા બાદ દેશમાં ઘણા મોટા પ્રોજેક્ટની જેમ આ પ્રોજેક્ટ પણ અટકી ગયો હતો. જો દેશમાં અટલજીની સરકાર ફરી આવી હોત તો આ બ્રિજ ૨૦૦૮માં જ તૈયાર થઈ ગયો હતો.