-
કેન્દ્રના વિદેશ રાજ્યમંત્રી અને ભારતીય સેનાના પૂર્વ સેનાપતિ વી.કે.સિંગે સરકાર વતી આજે સૌ પ્રથમવાર સત્તાવાર આંકડો જાહેર કર્યો કે ભારતના એર ફોર્સના હવાઇ હુમલામાં પાકિસ્તાનના બાલાકોટમાં 250 આતંકીઓ માર્યા ગયા હતા. પુલવામા આતંકી હુમલાનો બદલો લેવા ભારતે આ હાવાઇ હુમલો કે એર સ્ટ્રાઇક કર્યો હતો. નોંધનીય છે કે ગઇકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ બાલાકોટમાં 250 આતંકીઓનો ભારતની સેનાએ ખાત્મો બોલાવ્યો હોવાનું જાહેર કર્યું હતું. વી.કે. સિંગ યુપીએના શાસનમાં સેનાના વડા હતા અને 2014માં નિવૃત બાદ તરત જ ભાજપમાં જોડાયા હતા.
-
કેન્દ્રના વિદેશ રાજ્યમંત્રી અને ભારતીય સેનાના પૂર્વ સેનાપતિ વી.કે.સિંગે સરકાર વતી આજે સૌ પ્રથમવાર સત્તાવાર આંકડો જાહેર કર્યો કે ભારતના એર ફોર્સના હવાઇ હુમલામાં પાકિસ્તાનના બાલાકોટમાં 250 આતંકીઓ માર્યા ગયા હતા. પુલવામા આતંકી હુમલાનો બદલો લેવા ભારતે આ હાવાઇ હુમલો કે એર સ્ટ્રાઇક કર્યો હતો. નોંધનીય છે કે ગઇકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ બાલાકોટમાં 250 આતંકીઓનો ભારતની સેનાએ ખાત્મો બોલાવ્યો હોવાનું જાહેર કર્યું હતું. વી.કે. સિંગ યુપીએના શાસનમાં સેનાના વડા હતા અને 2014માં નિવૃત બાદ તરત જ ભાજપમાં જોડાયા હતા.