દિલ્હીનાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ૧ માર્ચથી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા બેમુદતી ઉપવાસ યોજવાની જાહેરાત કરી છે ત્યારે એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પુલવામા હુમલા પછી પાકિસ્તાનને ૧૦ ગણુ વધુ નુકસાન કરીને બદલો લેવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે ૪૦ જવાનોની શહીદીનો બદલો ૪૦૦ને મારો તો જ પૂરો થયેલો ગણાશે. સરકાર બદલો લેવાને બદલે રાજકારણ રમી રહી છે. અમે જ્યારે તેમને કહ્યું કે અમે પીએમની સાથે છીએ ત્યારે તેમણે કડક પગલાં લેવા જોઈએ. વાંરવાર ભારતનું અપમાન થઈ રહ્યું છે અને પાકિસ્તાન જે ઈચ્છે છે તો બોર્ડર પર કરાવતું રહે છે.
દિલ્હીનાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ૧ માર્ચથી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા બેમુદતી ઉપવાસ યોજવાની જાહેરાત કરી છે ત્યારે એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પુલવામા હુમલા પછી પાકિસ્તાનને ૧૦ ગણુ વધુ નુકસાન કરીને બદલો લેવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે ૪૦ જવાનોની શહીદીનો બદલો ૪૦૦ને મારો તો જ પૂરો થયેલો ગણાશે. સરકાર બદલો લેવાને બદલે રાજકારણ રમી રહી છે. અમે જ્યારે તેમને કહ્યું કે અમે પીએમની સાથે છીએ ત્યારે તેમણે કડક પગલાં લેવા જોઈએ. વાંરવાર ભારતનું અપમાન થઈ રહ્યું છે અને પાકિસ્તાન જે ઈચ્છે છે તો બોર્ડર પર કરાવતું રહે છે.