કાશ્મીરમાં ભારે બરફવર્ષાને પગલે વાહનવ્યવહાર અને વિમાન સેવાને અસર થઈ હતી. શ્રીનગર એરપોર્ટ પરથી ૨૭ ફ્લાઈટના શેડયુલ ફેરવાયા હતા અને ૧૫ ફ્લાઈટ રદ થઈ હતી. કેદારનાથમાં પણ ફરીથી બરફવર્ષા થતા જનજીવનને અસર થઈ હતી. ઉત્તરાંખડમા કરા સાથે વરસાદની ચેતવણી જાહેર થઈ હતી. જમ્મુ અને કાશ્મીરમાં ભારે બરફવર્ષા અને હિમસ્ખલનને પગલે જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ કરવો પડયો હતો. હવામાન વિભાગે ફેબુ્રઆરીની પાંચથી આઠ સુધી કાશ્મીરમાં ફરી ભારે બરફવર્ષા અને વરસાદની આગાહીર કરી હતી. વહીવટીતંત્રે ચેતવણી જાહેર કરી હતી, હવામાન વિભાગે જણાવ્યું હતું કે પિરપંજાલ પર્વતમાળામાં બારામુલ્લા સુધી ભારે વરસાદ થશે. શ્રીનગરમાં આજે તાપમાન ૦.૨ ડિગ્રી નોંધાયું હતું અને ગુલમર્ગમાં પાંચ ડિગ્રી તાપમાન રહ્યું હતું.
કાશ્મીરમાં ભારે બરફવર્ષાને પગલે વાહનવ્યવહાર અને વિમાન સેવાને અસર થઈ હતી. શ્રીનગર એરપોર્ટ પરથી ૨૭ ફ્લાઈટના શેડયુલ ફેરવાયા હતા અને ૧૫ ફ્લાઈટ રદ થઈ હતી. કેદારનાથમાં પણ ફરીથી બરફવર્ષા થતા જનજીવનને અસર થઈ હતી. ઉત્તરાંખડમા કરા સાથે વરસાદની ચેતવણી જાહેર થઈ હતી. જમ્મુ અને કાશ્મીરમાં ભારે બરફવર્ષા અને હિમસ્ખલનને પગલે જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ કરવો પડયો હતો. હવામાન વિભાગે ફેબુ્રઆરીની પાંચથી આઠ સુધી કાશ્મીરમાં ફરી ભારે બરફવર્ષા અને વરસાદની આગાહીર કરી હતી. વહીવટીતંત્રે ચેતવણી જાહેર કરી હતી, હવામાન વિભાગે જણાવ્યું હતું કે પિરપંજાલ પર્વતમાળામાં બારામુલ્લા સુધી ભારે વરસાદ થશે. શ્રીનગરમાં આજે તાપમાન ૦.૨ ડિગ્રી નોંધાયું હતું અને ગુલમર્ગમાં પાંચ ડિગ્રી તાપમાન રહ્યું હતું.