કરોડોનાં દેવામાં ડૂબેલી અને નાદારીનાં આરે આવીને ઊભેલી એરલાઇન્સ કંપની જેટ એરવેઝનાં સ્થાપક અને ચેરમેન નરેશ ગોયલ તેમજ તેમનાં પત્ની અનિતા ગોયલે સોમવારે કંપનીનાં બોર્ડમાંથી તેમજ અન્ય હોદા પરથી રાજીનામા આપ્યા હતા. નરેશ ગોયલ જેટ એરવેઝનાં મુખ્ય સ્થાપકો પૈકીનાં એક હતા. ૨૫ વર્ષ પહેલાં ૧૯૯૩માં તેમણે કંપનીની સ્થાપના કરી હતી. નરેશ ગોયલનાં રાજીનામા પછી સ્ટેટ બેન્કનાં વડપણ હેઠળ બેન્કોનાં કોર્ન્સોિશયમ દ્વારા કંપનીને તત્કાળ રૂ. ૧,૫૦૦ કરોડ ફાળવવામાં આવ્યા હતા જેથી તેના રોજબરોજનાં વ્યવહારો જાળવી શકાય. જેટ એરવેઝનાં માથે ૨૬ બેન્કોનું રૂ. ૮,૨૦૦ કરોડથી વધુ રકમનું દેવું ચૂકવવાનું બાકી છે તેણે માર્ચનાં અંત સુધીમાં રૂ. ૧,૭૦૦ કરોડ ચૂકવવાનાં છે. કંપની દ્વારા બેન્કો, સપ્લાયર્સ, પાઇલટ્સ તેમજ વિમાન લીઝ આપનારાઓનાં રૂ. ૮,૦૦૦ કરોડ ચૂકવવાનાં બાકી હતા. આને કારણે કંપનીને ૫૪ વિમાન ગ્રાઉન્ડેડ કરવાની ફરજ પડી હતી.
કરોડોનાં દેવામાં ડૂબેલી અને નાદારીનાં આરે આવીને ઊભેલી એરલાઇન્સ કંપની જેટ એરવેઝનાં સ્થાપક અને ચેરમેન નરેશ ગોયલ તેમજ તેમનાં પત્ની અનિતા ગોયલે સોમવારે કંપનીનાં બોર્ડમાંથી તેમજ અન્ય હોદા પરથી રાજીનામા આપ્યા હતા. નરેશ ગોયલ જેટ એરવેઝનાં મુખ્ય સ્થાપકો પૈકીનાં એક હતા. ૨૫ વર્ષ પહેલાં ૧૯૯૩માં તેમણે કંપનીની સ્થાપના કરી હતી. નરેશ ગોયલનાં રાજીનામા પછી સ્ટેટ બેન્કનાં વડપણ હેઠળ બેન્કોનાં કોર્ન્સોિશયમ દ્વારા કંપનીને તત્કાળ રૂ. ૧,૫૦૦ કરોડ ફાળવવામાં આવ્યા હતા જેથી તેના રોજબરોજનાં વ્યવહારો જાળવી શકાય. જેટ એરવેઝનાં માથે ૨૬ બેન્કોનું રૂ. ૮,૨૦૦ કરોડથી વધુ રકમનું દેવું ચૂકવવાનું બાકી છે તેણે માર્ચનાં અંત સુધીમાં રૂ. ૧,૭૦૦ કરોડ ચૂકવવાનાં છે. કંપની દ્વારા બેન્કો, સપ્લાયર્સ, પાઇલટ્સ તેમજ વિમાન લીઝ આપનારાઓનાં રૂ. ૮,૦૦૦ કરોડ ચૂકવવાનાં બાકી હતા. આને કારણે કંપનીને ૫૪ વિમાન ગ્રાઉન્ડેડ કરવાની ફરજ પડી હતી.