કાશ્મીરમાં ફરી હિંસા ભડકી છે. હિંસાખોરોને રોકવા માટે સૈન્ય દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં આશરે ૧૦૦ જેટલા કાશ્મીરી વિદ્યાર્થીઓ ઘવાયા હતા. કાશ્મીરના શ્રીનગરમાં અનેક વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સૈન્ય પર પથ્થરમારો કર્યો હતો. હિંસાને રોકવા માટે સામેપક્ષે સૈન્યએ પણ ટીયર ગેસના શેલ છોડયા હતા. સાથે લાઠીચાર્જ પણ કર્યો હતો. જેને પગલે આશરે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઘવાયા હતા. જ્યારે પથ્થરમારામાં કેટલાક જવાનોને ઇજા પહોંચી હતી.
કાશ્મીરમાં ફરી હિંસા ભડકી છે. હિંસાખોરોને રોકવા માટે સૈન્ય દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં આશરે ૧૦૦ જેટલા કાશ્મીરી વિદ્યાર્થીઓ ઘવાયા હતા. કાશ્મીરના શ્રીનગરમાં અનેક વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સૈન્ય પર પથ્થરમારો કર્યો હતો. હિંસાને રોકવા માટે સામેપક્ષે સૈન્યએ પણ ટીયર ગેસના શેલ છોડયા હતા. સાથે લાઠીચાર્જ પણ કર્યો હતો. જેને પગલે આશરે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઘવાયા હતા. જ્યારે પથ્થરમારામાં કેટલાક જવાનોને ઇજા પહોંચી હતી.