પુલવામા હુમલા પછી સર્જાયેલી અશાંતિ વચ્ચે જમ્મુ – કાશ્મીરના મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ મોદી સરકારને સીધી ચેતવણી આપી છે. તેમણે ‘તલ્ખ’શબ્દનો ઉપયોગ કરતાં જણાવ્યું હતું કે,’આગ સાથે ના રમો, અનુચ્છેદ ૩૫(એ) સાથે રમત ના કરો નહીંતર એવું બનશે કે દેશમાં ૧૯૪૭ પછી ક્યારેય નથી બન્યું. જો જબરજસ્તી થશે તો મને ખબર નથી કે જમ્મુ કાશ્મીરના લોકો ત્રિરંગાને બદલે કયો ધ્વજ લેવા મજબૂર બનશે.’ દેશના મહત્ત્વના રાજ્યમાં સરકાર રચનારા મહેબુબાએ ફરી એક વખત આદત પ્રમાણે ભારત વિરોધી ઝેર ઓકવાનું શરૂ કરી દીધું છે. એક કથિત કાયદા માટે તેણે દેશ વિરોધી નિવેદનો આપવાનું શરૂ કર્યું છે. કાયદો બચાવવા માટે કાશ્મીરીઓ ભારત સાથે સંબંધ તોડી નાખશે તેવી ધમકી તેણે ઉચ્ચારીને વરવા રાજકારણનો પરિચય આપી દીધો છે.
પુલવામા હુમલા પછી સર્જાયેલી અશાંતિ વચ્ચે જમ્મુ – કાશ્મીરના મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ મોદી સરકારને સીધી ચેતવણી આપી છે. તેમણે ‘તલ્ખ’શબ્દનો ઉપયોગ કરતાં જણાવ્યું હતું કે,’આગ સાથે ના રમો, અનુચ્છેદ ૩૫(એ) સાથે રમત ના કરો નહીંતર એવું બનશે કે દેશમાં ૧૯૪૭ પછી ક્યારેય નથી બન્યું. જો જબરજસ્તી થશે તો મને ખબર નથી કે જમ્મુ કાશ્મીરના લોકો ત્રિરંગાને બદલે કયો ધ્વજ લેવા મજબૂર બનશે.’ દેશના મહત્ત્વના રાજ્યમાં સરકાર રચનારા મહેબુબાએ ફરી એક વખત આદત પ્રમાણે ભારત વિરોધી ઝેર ઓકવાનું શરૂ કરી દીધું છે. એક કથિત કાયદા માટે તેણે દેશ વિરોધી નિવેદનો આપવાનું શરૂ કર્યું છે. કાયદો બચાવવા માટે કાશ્મીરીઓ ભારત સાથે સંબંધ તોડી નાખશે તેવી ધમકી તેણે ઉચ્ચારીને વરવા રાજકારણનો પરિચય આપી દીધો છે.