Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • કોલકાત્તાથી 1118 કિ.મી. મેઘાલયના પાટનગર શિલોંગમાં આજે વાદળછાયા અને 17 ડિગ્રી ઠંડા હવામાનભર્યા વાતાવરણમાં કોલકાત્તાના વિવાદી પોલીસ કમિશ્નર રાજીવકુમારની સીબીઆઇ દ્વારા સારદા ચીટ ફંડ કેસમાં પૂછપરછ શરૂ થઇ છે. સુપ્રિમ કોર્ટે પણ સીબીઆઇને કહ્યું છે કે તમારે માત્ર પૂછપરછ કરવાની ધરપકડ નહીં એટલે તેમની ધરપકડ કરવાને બદલે આજે અને કદાજ વધુ સમય સુધી રાજીવકુમારની ઘનિષ્ઠ પૂછપરછ થશે. સારદા ચીટ ફંડ કેસમાં કેટલીક બાબતો કે પુરાવા રાજીવકુમારે ગાયબ કર્યા હોવાના આરોપસર તેમની પૂછપરછ થઇ રહી છે. સીબીઆઇ કોલકાતામાં તેમની ધરપકડ કરવા ગઇ ત્યારે ભારે રાજકીય ધમાસાણ સર્જાયું હતું. અને સીબીઆઇની વિરૂધ્ધ મુખ્યમંત્રી મમતા બેનર્જીને ધરણાં પર બેસવાની ફરજ પડી હતી. અને મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો. રાજીવકુમારના વકીલ તરીકે મિઝોરામના પૂર્વ સરકારી વકીલ બિશ્વજીત દેવ તેમની સાથે છે. સીબીઆઇએ પણ વધુ અધિકારીઓની ટીમ પૂછપરછ માટે દિલ્હીથી શિલોંગ મોકલી છે. બંગાળ અને પીએમઓની નજર શિલોંગ પર રહે તે સ્વાભાવિક છે. (તસ્વીરઃ રાજીવકુમાર)

  • કોલકાત્તાથી 1118 કિ.મી. મેઘાલયના પાટનગર શિલોંગમાં આજે વાદળછાયા અને 17 ડિગ્રી ઠંડા હવામાનભર્યા વાતાવરણમાં કોલકાત્તાના વિવાદી પોલીસ કમિશ્નર રાજીવકુમારની સીબીઆઇ દ્વારા સારદા ચીટ ફંડ કેસમાં પૂછપરછ શરૂ થઇ છે. સુપ્રિમ કોર્ટે પણ સીબીઆઇને કહ્યું છે કે તમારે માત્ર પૂછપરછ કરવાની ધરપકડ નહીં એટલે તેમની ધરપકડ કરવાને બદલે આજે અને કદાજ વધુ સમય સુધી રાજીવકુમારની ઘનિષ્ઠ પૂછપરછ થશે. સારદા ચીટ ફંડ કેસમાં કેટલીક બાબતો કે પુરાવા રાજીવકુમારે ગાયબ કર્યા હોવાના આરોપસર તેમની પૂછપરછ થઇ રહી છે. સીબીઆઇ કોલકાતામાં તેમની ધરપકડ કરવા ગઇ ત્યારે ભારે રાજકીય ધમાસાણ સર્જાયું હતું. અને સીબીઆઇની વિરૂધ્ધ મુખ્યમંત્રી મમતા બેનર્જીને ધરણાં પર બેસવાની ફરજ પડી હતી. અને મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો. રાજીવકુમારના વકીલ તરીકે મિઝોરામના પૂર્વ સરકારી વકીલ બિશ્વજીત દેવ તેમની સાથે છે. સીબીઆઇએ પણ વધુ અધિકારીઓની ટીમ પૂછપરછ માટે દિલ્હીથી શિલોંગ મોકલી છે. બંગાળ અને પીએમઓની નજર શિલોંગ પર રહે તે સ્વાભાવિક છે. (તસ્વીરઃ રાજીવકુમાર)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ