કુલભૂષણ જાધવની સજા અંગે આજે પાકિસ્તાને સ્પષ્ટતા કરી હતી કે અમારા પર કોઈનું દબાણ કે ધમકીની અસર થશે નહીં. ભારતના જાસૂસ મનાતા કુલભૂષણ જાધવને પાકિસ્તાનની લશ્કરી કોર્ટે ફાંસીની સજા સુનાવી છે. એ પછી ભારતે એ સજા અન્યાયી અને પૂરાવા વગરની હોવાના મુદ્દે કાગારોળ મચાવી છે. પાકિસ્તાન પર ચારો-તરફથી દબાણ વધે એ માટે ભારત પ્રયત્નશીલ છે.