ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં અછતની સ્થિતિ છે. રાજ્ય સરકારે બુધવારે વધુ 135 ગામોને અસરગ્રસ્ત જાહેર કરતા કુલ 684 ગામો અસરગ્રસ્ત થયા છે. 18 ગામોમાં અછતગ્રસ્ત જાહેર કરાયા છે. મહેસૂલમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે આજે મળેલી અછત રાહત સમિતિની બેઠકમાં કલેક્ટરોના રિપોર્ટના આધારે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના વધુ 86 ગામો, નખત્રાણાના 32 ગામો અને સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના 17 ગામોને અસરગ્રસ્ત જાહેર કરાયા છે. અસરગ્રસ્ત 684 ગામોને રાહતદરે ઘાસ ફાળવાશે. અત્યારસુધીમાં 49,492 કિલોગ્રામ ઘાસનું વિતરણ કરાયું છે.
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં અછતની સ્થિતિ છે. રાજ્ય સરકારે બુધવારે વધુ 135 ગામોને અસરગ્રસ્ત જાહેર કરતા કુલ 684 ગામો અસરગ્રસ્ત થયા છે. 18 ગામોમાં અછતગ્રસ્ત જાહેર કરાયા છે. મહેસૂલમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે આજે મળેલી અછત રાહત સમિતિની બેઠકમાં કલેક્ટરોના રિપોર્ટના આધારે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના વધુ 86 ગામો, નખત્રાણાના 32 ગામો અને સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના 17 ગામોને અસરગ્રસ્ત જાહેર કરાયા છે. અસરગ્રસ્ત 684 ગામોને રાહતદરે ઘાસ ફાળવાશે. અત્યારસુધીમાં 49,492 કિલોગ્રામ ઘાસનું વિતરણ કરાયું છે.