જમ્મુ-કાશ્મીરના પહલગામની બૈસારન ખીણમાં આતંકી હુમલામાં હિન્દુઓની હત્યાની ઘટનાના એક મહિના બાદ આ હુમલાનો માસ્ટર માઈન્ડ અને લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર સૈફુલ્લા કસૂરી પાકિસ્તાનમાં જાહેરમાં ફરતો જોવા મળ્યો છે. બીજી બાજુ ભારતે પાકિસ્તાનમાં નવ આતંકી સ્થળોનો ખાત્મો બોલાવ્યા પછી આતંકી સંગઠનોએ ફરી એક વખત ભરતી શરૂ કરી છે અને તે માટે પોસ્ટરો લગાવ્યા છે.