ઇન્ડોનેશિયાનાં જાકાર્તાથી પાંકલ પિનાંગ જઈ રહેલું લાયન એરનું બોઇંગ વિમાન સોમવારે સવારે સ્થાનિક સમય મુજબ ૬.૨૦ કલાકે ઉડ્ડયન ભર્યા પછી ૧૩મી મિનિટે જ દરિયામાં તૂટી પડયું હતું. બચાવ અને રાહત ટુકડીના જણાવ્યા મુજબ વિમાનનાં સફર કરી રહેલાં તમામ ૧૮૯ પ્રવાસીઓનાં મોત થયાં હતાં. વિમાનમાં ૩ બાળકો સહિત ૧૮૧ પ્રવાસીઓ, બે પાઇલટ તેમજ ૬ ક્રૂ મેમ્બર્સ હતાં. વિમાનના બે પાઇલટ પૈકી એક ભારતીય પાઇલટ ભવ્ય સુનેજા હતા. વિમાને જાકાર્તાથી ઉડાન ભર્યા પછી પાઇલટ દ્વારા વિમાનને પાછું વાળવા માટે મંજૂરી માગવામાં આવી હતી જે મંજૂર કરાયા પછી વિમાનનો સંપર્ક કપાઈ ગયો હતો અને થોડી મિનિટોમાં જ દરિયામાં કારાવાંગની ખાડીમાં ખાબક્યું હતું.
ઇન્ડોનેશિયાનાં જાકાર્તાથી પાંકલ પિનાંગ જઈ રહેલું લાયન એરનું બોઇંગ વિમાન સોમવારે સવારે સ્થાનિક સમય મુજબ ૬.૨૦ કલાકે ઉડ્ડયન ભર્યા પછી ૧૩મી મિનિટે જ દરિયામાં તૂટી પડયું હતું. બચાવ અને રાહત ટુકડીના જણાવ્યા મુજબ વિમાનનાં સફર કરી રહેલાં તમામ ૧૮૯ પ્રવાસીઓનાં મોત થયાં હતાં. વિમાનમાં ૩ બાળકો સહિત ૧૮૧ પ્રવાસીઓ, બે પાઇલટ તેમજ ૬ ક્રૂ મેમ્બર્સ હતાં. વિમાનના બે પાઇલટ પૈકી એક ભારતીય પાઇલટ ભવ્ય સુનેજા હતા. વિમાને જાકાર્તાથી ઉડાન ભર્યા પછી પાઇલટ દ્વારા વિમાનને પાછું વાળવા માટે મંજૂરી માગવામાં આવી હતી જે મંજૂર કરાયા પછી વિમાનનો સંપર્ક કપાઈ ગયો હતો અને થોડી મિનિટોમાં જ દરિયામાં કારાવાંગની ખાડીમાં ખાબક્યું હતું.