અયોધ્યામાં એક તરફ સંઘ, વીએચપી અને શિવસેના દ્વારા રામમંદિર બનાવવાની માગણી બુલંદ બની છે ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અયોધ્યામાં સરયુ નદીના કિનારે ભગવાન રામની ૨૨૧ મીટર ઊંચી મૂર્તિ પ્રસ્થાપિત કરવાની દરખાસ્તને બહાલી આપીને તેનું મોડલ જાહેર કર્યું છે. રામની આ મૂર્તિ સરદાર પટેલનાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી કરતાં ઘણી વધારે ઊંચી હશે. શનિવારે મોડી રાત્રે મળેલી બેઠકમાં રામની દિવ્ય મૂર્તિની સ્થાપના અને તેની આસપાસનાં ડેકોરેશનને લગતી ચર્ચા કરાઈ હતી.
અયોધ્યામાં એક તરફ સંઘ, વીએચપી અને શિવસેના દ્વારા રામમંદિર બનાવવાની માગણી બુલંદ બની છે ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અયોધ્યામાં સરયુ નદીના કિનારે ભગવાન રામની ૨૨૧ મીટર ઊંચી મૂર્તિ પ્રસ્થાપિત કરવાની દરખાસ્તને બહાલી આપીને તેનું મોડલ જાહેર કર્યું છે. રામની આ મૂર્તિ સરદાર પટેલનાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી કરતાં ઘણી વધારે ઊંચી હશે. શનિવારે મોડી રાત્રે મળેલી બેઠકમાં રામની દિવ્ય મૂર્તિની સ્થાપના અને તેની આસપાસનાં ડેકોરેશનને લગતી ચર્ચા કરાઈ હતી.