તાજેતરમાં મસ્જિદમાં લાઉડસ્પીકરને લઈને જાણીતા સિંગર સોનુ નિગમના નિવેદનથી બબાલ થઈ હતી. પરંતુ હવે દેશમાં એક એવી મસ્જિદ બની છે, જ્યાં લાઉડસ્પીકરને લઈને કોઈ જ પરેશાની નહિ પડે. કેરળમાં એક મસ્જિદ બનાવવામાં આવી છે, જે ખાસ મૂકબધિરો માટે જ બની છે. સોમવારે મલ્લપુરમના પુલિક્કલમાં મસ્જિદ અલ-રહમનું ઉદઘાટન થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ, 5 એકર જમીનમાં બનેલી આ મસ્જિદ દેશની પહેલી એવી મસ્જિદ છે, જ્યાં સાંકેતિક ભાષામાં જુમ્માની નમાજ પઢવામાં આવશે.
તાજેતરમાં મસ્જિદમાં લાઉડસ્પીકરને લઈને જાણીતા સિંગર સોનુ નિગમના નિવેદનથી બબાલ થઈ હતી. પરંતુ હવે દેશમાં એક એવી મસ્જિદ બની છે, જ્યાં લાઉડસ્પીકરને લઈને કોઈ જ પરેશાની નહિ પડે. કેરળમાં એક મસ્જિદ બનાવવામાં આવી છે, જે ખાસ મૂકબધિરો માટે જ બની છે. સોમવારે મલ્લપુરમના પુલિક્કલમાં મસ્જિદ અલ-રહમનું ઉદઘાટન થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ, 5 એકર જમીનમાં બનેલી આ મસ્જિદ દેશની પહેલી એવી મસ્જિદ છે, જ્યાં સાંકેતિક ભાષામાં જુમ્માની નમાજ પઢવામાં આવશે.