Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભારતના પુરાતત્વ વિભાગ અને અન્ય વિશેષજ્ઞોએ આખરે મહાભારત કાળના એ મહેલની શોધખોળ શરૂ કરી છે તે મહેલ લાક્ષાગૃહ તરીકે ઓળખાય છે અને તેને લાક્ષા નામના પદાર્થથી બનાવીને તેમાં પાંડવોને મોકલી તેમને મારી નાંખવાનું કાવતરૂ કૌરવોએ રચ્યું હતું. જો કે પાડવો મહેલમાં રહેલા છુપા માર્ગ-સુરંગ દ્વારા સહીસલામત બહાર નિકળી ગયા હતા. આ સ્થળ યુપીના બાગપત જિલ્લામાં બરનાવા તરીકે ઓળખાય છે. ત્યાં એક સુરંગ પણ છે. જેમાં પુરાતત્વના અધિકારીઓ ઘણાં વર્ષો પહેલાં અંદર જઇને થોડેક દૂર સુધી ગયા હતા. પરંતુ ત્યારબાદ આ સુરંગ બંધ કરી દેવામાં આવી હતી. જે હવે ખોલીને તેમાં આધુનિક સાધનો સાથે વિશેષજ્ઞો જશે અને મહેલની જગ્યા સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. જો તેમાં સફળતા મળશે તો ઇતિહાસ પરથી ધૂળ ખંખેરાશે.નોંધનીય છે કે લાક્ષા એટલે લાખ. તે એક પ્રકારનું પદાર્થ છે અને તરત જ આગ પકડી લે છે. કૌરવોએ પાંડવોને આ મહેલમાં મોકલીને તેને આગ લગાડી દીધી હતી. આગમાં લાક્ષાગૃહ બળીને રાખમાં ફેરવાઇ ગયું હતું. આ પદાર્થમાંથી બંગડીઓ બને છે. જેને લાખની ચૂડીઓ કહેવાય છે.

  • ભારતના પુરાતત્વ વિભાગ અને અન્ય વિશેષજ્ઞોએ આખરે મહાભારત કાળના એ મહેલની શોધખોળ શરૂ કરી છે તે મહેલ લાક્ષાગૃહ તરીકે ઓળખાય છે અને તેને લાક્ષા નામના પદાર્થથી બનાવીને તેમાં પાંડવોને મોકલી તેમને મારી નાંખવાનું કાવતરૂ કૌરવોએ રચ્યું હતું. જો કે પાડવો મહેલમાં રહેલા છુપા માર્ગ-સુરંગ દ્વારા સહીસલામત બહાર નિકળી ગયા હતા. આ સ્થળ યુપીના બાગપત જિલ્લામાં બરનાવા તરીકે ઓળખાય છે. ત્યાં એક સુરંગ પણ છે. જેમાં પુરાતત્વના અધિકારીઓ ઘણાં વર્ષો પહેલાં અંદર જઇને થોડેક દૂર સુધી ગયા હતા. પરંતુ ત્યારબાદ આ સુરંગ બંધ કરી દેવામાં આવી હતી. જે હવે ખોલીને તેમાં આધુનિક સાધનો સાથે વિશેષજ્ઞો જશે અને મહેલની જગ્યા સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. જો તેમાં સફળતા મળશે તો ઇતિહાસ પરથી ધૂળ ખંખેરાશે.નોંધનીય છે કે લાક્ષા એટલે લાખ. તે એક પ્રકારનું પદાર્થ છે અને તરત જ આગ પકડી લે છે. કૌરવોએ પાંડવોને આ મહેલમાં મોકલીને તેને આગ લગાડી દીધી હતી. આગમાં લાક્ષાગૃહ બળીને રાખમાં ફેરવાઇ ગયું હતું. આ પદાર્થમાંથી બંગડીઓ બને છે. જેને લાખની ચૂડીઓ કહેવાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ