શારદા અને રોઝવેલી કૌભાંડનાં આરોપોમાં ઘેરાયેલી પશ્ચિમ બંગાળ સરકાર અને સીબીઆઈ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સીબીઆઈનાં પગલાંનાં વિરોધમાં સીએમ મમતા બેનરજી ધરણા પર બેસી ગયા છે. તેમણે દેશમાં સુપર ઈમરર્જન્સીનો આક્ષેપ કર્યો છે. મમતા બેનરજીએ સીબીઆઈ અને કેન્દ્રની ભાજપ સરકાર સામે જંગ માંડયા પછી રવિવારે રાત્રે ૮ કલાકથી જ તેઓ કોલકાતા મેટ્રો સ્ટેશનની નજીકનાં સ્થળે ધરણા પર બેસી ગયા છે અને સરકારનું બધું કામકાજ ત્યાંથી જ કરી રહ્યા છે. સોમવારે તેમણે કેબિનેટની બેઠક પણ ધરણાસ્થળે યોજી હતી. તેમણે કેટલીક ફાઈલો પર સહીઓ પણ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે જ્યાં સુધી સમસ્યાનું સમાધાન ન થાય ત્યાં સુધી તેઓ ધરણાસ્થળેથી જ તેમની સરકાર ચલાવશે અને બધો વહીવટ ત્યાંથી જ કરશે.
શારદા અને રોઝવેલી કૌભાંડનાં આરોપોમાં ઘેરાયેલી પશ્ચિમ બંગાળ સરકાર અને સીબીઆઈ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સીબીઆઈનાં પગલાંનાં વિરોધમાં સીએમ મમતા બેનરજી ધરણા પર બેસી ગયા છે. તેમણે દેશમાં સુપર ઈમરર્જન્સીનો આક્ષેપ કર્યો છે. મમતા બેનરજીએ સીબીઆઈ અને કેન્દ્રની ભાજપ સરકાર સામે જંગ માંડયા પછી રવિવારે રાત્રે ૮ કલાકથી જ તેઓ કોલકાતા મેટ્રો સ્ટેશનની નજીકનાં સ્થળે ધરણા પર બેસી ગયા છે અને સરકારનું બધું કામકાજ ત્યાંથી જ કરી રહ્યા છે. સોમવારે તેમણે કેબિનેટની બેઠક પણ ધરણાસ્થળે યોજી હતી. તેમણે કેટલીક ફાઈલો પર સહીઓ પણ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે જ્યાં સુધી સમસ્યાનું સમાધાન ન થાય ત્યાં સુધી તેઓ ધરણાસ્થળેથી જ તેમની સરકાર ચલાવશે અને બધો વહીવટ ત્યાંથી જ કરશે.