ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે આજે સ્પષ્ટ રીતે સ્વીકાર કર્યો હતો કે કાશ્મીર જેવા મુદ્દાઓના કારણે તેમણે સંરક્ષણમંત્રીનું પદ છોડીને ગોવા પાછા ફરવાનો નિર્ણય લીધો.
રક્ષામંત્રી તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન પર્રિકર કાશ્મીરમાં કડક વલણ રાખવાના હિમાયતી રહ્યાં હતાં. તેમના કાર્યકાળમાં જ સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો.