તાજેતરના મહિનાઓમાં માઇક્રોસોફટે બીજી વખત કર્મચારીઓની છટણીનો નિર્ણય લીધો છે. કંપનીએ આજથી કર્મચારીઓને આ અંગેની નોટિસ મોકલવાનું શરૂ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ શરૂ થઇ ગયો છે ત્યારથી આઇટી જ નહીં પણ તમામ સેક્ટરની કંપનીઓના કર્મચારીઓની નોકરીઓ પર ખતરો તોળાઇ રહ્યો છે.