ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે ગાંધીનગર જઇને વિધિવત રીતે ભાજપમાં જોડાઇને કેસરિયો ધારણ કર્યો હતો. તેમને આવકારવા માટે આઈ.કે. જાડેજા, કે.સી. પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. કે.સી.પટેલે સાબરિયાને ખેસ પહેરાવ્યો હતો.
સાબરીયાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, 'હું સ્વૈચ્છિક રીતે રાજીનામું આપીને BJPમાં જોડાયો છું. હું કોઈ અપેક્ષાએ BJPમાં નથી જોડાયો. વિકાસની ગતિને માન આપીને હું BJPમાં જોડાયો છું. કોંગ્રેસમાં અંદરો અંદર લડાઈ ચાલી રહી છે, જેથી વિકાસના કામ કરવામાં તકલીફ પડતી હતી. મારુ જીવન પુરુ થાય ત્યાં સુધી હું BJPમાં રહીશ'.
જણાવી દઈએ કે, પરસોત્તમ સાબરિયાને આગામી ધારાસભા કે લોકસભાની એક ચૂંટણીમાં ભાજપમાંથી લડવાનું ફાઈનલ કરવામાં આવ્યુ હોવાની ચર્ચા જોવા મળી રહી છે.
ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે ગાંધીનગર જઇને વિધિવત રીતે ભાજપમાં જોડાઇને કેસરિયો ધારણ કર્યો હતો. તેમને આવકારવા માટે આઈ.કે. જાડેજા, કે.સી. પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. કે.સી.પટેલે સાબરિયાને ખેસ પહેરાવ્યો હતો.
સાબરીયાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, 'હું સ્વૈચ્છિક રીતે રાજીનામું આપીને BJPમાં જોડાયો છું. હું કોઈ અપેક્ષાએ BJPમાં નથી જોડાયો. વિકાસની ગતિને માન આપીને હું BJPમાં જોડાયો છું. કોંગ્રેસમાં અંદરો અંદર લડાઈ ચાલી રહી છે, જેથી વિકાસના કામ કરવામાં તકલીફ પડતી હતી. મારુ જીવન પુરુ થાય ત્યાં સુધી હું BJPમાં રહીશ'.
જણાવી દઈએ કે, પરસોત્તમ સાબરિયાને આગામી ધારાસભા કે લોકસભાની એક ચૂંટણીમાં ભાજપમાંથી લડવાનું ફાઈનલ કરવામાં આવ્યુ હોવાની ચર્ચા જોવા મળી રહી છે.