Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બપોર બાદ યુપીમાં કોંગ્રેસના ગઢ સમાન અમેઠીમાં પગ મૂક્યા હતા. વડાપ્રધાન બન્યા બાદ તેમણે પહેલીવાર પોતાના કટ્ટર રાજકીય હરિફ કોંગ્રેસ અને ગાંધી પરિવારના રાહુલ ગાંધીના મત વિસ્તારમાં જાહેરસભાને સંબોધી હતી. અને અમેઠીમાં રશિયન બનાવટની એસોલ્ટ રાઇફલ બનાવવાના કારખાનાનું ભૂમિપૂજન પણ કર્યું હતું. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારામન પણ હાજર રહ્યાં હતા. તેમણે કહ્યું કે 2014માં અમેઠીની ચૂંટણીમાં જેમણે અમને વોટ આપ્યા એ પણ અમારા છે અને જેમણે અમને વોટ ના આપ્યાં તેઓ પણ અમારા જ છે. 5 વર્ષમાં અમારી સરકારે અમેઠી માટે ઘણાં કામો કર્યા છે. શું તમે અમારા કામથી સંતુષ્ઠ છો..એવા સવાલો પણ તેમણે કર્યા હતા. જવાબમાં લોકોએ હકારાત્મક જવાબ આપ્યો હતો. અમેઠીના રાઇફલના કારખાનામાં વિશ્વની સૌથી અતિ આધુનિક પ્રકારની બંદૂકો બનીને નિકાસ થશે, એમ કહીને તેમણે રશિયાના રાષ્ટ્રપતિ પુટિનનો આભાર માન્યો હતો. અને અમેઠીના લોકોને કહ્યું હતું કે અમેઠી માટે તેમની સરકારે સૌથી મોટો પ્લાન્ટ નાંખ્યો છે. અમેઠીમાં આ રાઇફલો બનીને ભારતના જવાનોને અપાશે. જેનો ઉપયોગ આતંકવાદીઓ અને નકસ્લવાદીઓ સામે કરાશે. આ રાઇફલો મેડ ઇન અમેઠીના નામે ઓળખાશે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બપોર બાદ યુપીમાં કોંગ્રેસના ગઢ સમાન અમેઠીમાં પગ મૂક્યા હતા. વડાપ્રધાન બન્યા બાદ તેમણે પહેલીવાર પોતાના કટ્ટર રાજકીય હરિફ કોંગ્રેસ અને ગાંધી પરિવારના રાહુલ ગાંધીના મત વિસ્તારમાં જાહેરસભાને સંબોધી હતી. અને અમેઠીમાં રશિયન બનાવટની એસોલ્ટ રાઇફલ બનાવવાના કારખાનાનું ભૂમિપૂજન પણ કર્યું હતું. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારામન પણ હાજર રહ્યાં હતા. તેમણે કહ્યું કે 2014માં અમેઠીની ચૂંટણીમાં જેમણે અમને વોટ આપ્યા એ પણ અમારા છે અને જેમણે અમને વોટ ના આપ્યાં તેઓ પણ અમારા જ છે. 5 વર્ષમાં અમારી સરકારે અમેઠી માટે ઘણાં કામો કર્યા છે. શું તમે અમારા કામથી સંતુષ્ઠ છો..એવા સવાલો પણ તેમણે કર્યા હતા. જવાબમાં લોકોએ હકારાત્મક જવાબ આપ્યો હતો. અમેઠીના રાઇફલના કારખાનામાં વિશ્વની સૌથી અતિ આધુનિક પ્રકારની બંદૂકો બનીને નિકાસ થશે, એમ કહીને તેમણે રશિયાના રાષ્ટ્રપતિ પુટિનનો આભાર માન્યો હતો. અને અમેઠીના લોકોને કહ્યું હતું કે અમેઠી માટે તેમની સરકારે સૌથી મોટો પ્લાન્ટ નાંખ્યો છે. અમેઠીમાં આ રાઇફલો બનીને ભારતના જવાનોને અપાશે. જેનો ઉપયોગ આતંકવાદીઓ અને નકસ્લવાદીઓ સામે કરાશે. આ રાઇફલો મેડ ઇન અમેઠીના નામે ઓળખાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ