Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં એસ.જી. હાઇ વે જાસપુર ખાતે મા ઉમિયા ધામ મંદિરના ભૂમિ પૂજન બાદ મોટી સંખ્યામાં હાજર રહેલા પાટીદારોને સંબોધન કર્યું હતું. શરૂઆતમાં તેમણે મહાશિવરાત્રિના પર્વને યાદ કરીને હર હર મહાદેવનો જયઘોષ કરાવ્યો હતો. ત્યારબાદ તેમણે 3 વખત ભારત માતા કી જય બોલાવી હતી. તેમણે કુંભ મેળાનું આધ્યાત્મિક મહત્વ સમજાવીને કહ્યું ભારતમાં હવે આધ્યાત્મિક ચેતના શરૂ થઇ ગઇ છે. દેશના હિતમાં હવે મોટુ મોટુ થવુ જોઇએ એમ કહીને સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુનો અને પાકિસ્તાન પર એર ફોર્સના હવાઇ હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. ભારતનો મિજાજ બદલાયો છે. ભારતના જવાનોનો મિજાજ પણ બદલાયો છે એટલે જવાનોએ પણ મોટુ કામ કર્યું છે. તેમણે પાટીદાર સમાજમાં કૂપ્રથા કન્યા ભ્રૂણ હત્યા રોકવા અપીલ કરી હતી. તેમણે મા ઉમિયાના સોગંદથી સમાજ પાસેથી પ્રતિજ્ઞા લેવડાવી હતી કે કોઇ ભૂલથી પણ કન્યા ભ્રૂણ હત્યા નહીં કરે. દિકરો-દિકરી એક સમાન છે. નવી પેઢીને વિવિધ વ્યસનોથી દૂર રહેવા પણ શિખામણ આપી હતી. મા ઉમિયાધામ સામાજીક ચેતનાનું કેન્દ્ર બને એમ કહીને દેશના હિત માટે 2019 પછી પણ હું જ છું એટલે ચિંતા ના કરતા એમ કહીને કહી દીધુ કે લોકસભાની ચૂંટણીમાં તેમનો જ વિજય થવાનો છે અને ભાજપમાં ફરી વડાપ્રધાન પણ તેઓ જ છે. તેમણે એમ પણ કહ્યું કે દિલ્હીમાં મારૂ જે ઘર(પીએમઓ) છે ને, એ પણ તમારૂ જ છે. ગમે ત્યારે આવજો.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં એસ.જી. હાઇ વે જાસપુર ખાતે મા ઉમિયા ધામ મંદિરના ભૂમિ પૂજન બાદ મોટી સંખ્યામાં હાજર રહેલા પાટીદારોને સંબોધન કર્યું હતું. શરૂઆતમાં તેમણે મહાશિવરાત્રિના પર્વને યાદ કરીને હર હર મહાદેવનો જયઘોષ કરાવ્યો હતો. ત્યારબાદ તેમણે 3 વખત ભારત માતા કી જય બોલાવી હતી. તેમણે કુંભ મેળાનું આધ્યાત્મિક મહત્વ સમજાવીને કહ્યું ભારતમાં હવે આધ્યાત્મિક ચેતના શરૂ થઇ ગઇ છે. દેશના હિતમાં હવે મોટુ મોટુ થવુ જોઇએ એમ કહીને સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુનો અને પાકિસ્તાન પર એર ફોર્સના હવાઇ હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. ભારતનો મિજાજ બદલાયો છે. ભારતના જવાનોનો મિજાજ પણ બદલાયો છે એટલે જવાનોએ પણ મોટુ કામ કર્યું છે. તેમણે પાટીદાર સમાજમાં કૂપ્રથા કન્યા ભ્રૂણ હત્યા રોકવા અપીલ કરી હતી. તેમણે મા ઉમિયાના સોગંદથી સમાજ પાસેથી પ્રતિજ્ઞા લેવડાવી હતી કે કોઇ ભૂલથી પણ કન્યા ભ્રૂણ હત્યા નહીં કરે. દિકરો-દિકરી એક સમાન છે. નવી પેઢીને વિવિધ વ્યસનોથી દૂર રહેવા પણ શિખામણ આપી હતી. મા ઉમિયાધામ સામાજીક ચેતનાનું કેન્દ્ર બને એમ કહીને દેશના હિત માટે 2019 પછી પણ હું જ છું એટલે ચિંતા ના કરતા એમ કહીને કહી દીધુ કે લોકસભાની ચૂંટણીમાં તેમનો જ વિજય થવાનો છે અને ભાજપમાં ફરી વડાપ્રધાન પણ તેઓ જ છે. તેમણે એમ પણ કહ્યું કે દિલ્હીમાં મારૂ જે ઘર(પીએમઓ) છે ને, એ પણ તમારૂ જ છે. ગમે ત્યારે આવજો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ