મોદી સરકારનાં ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે અરુણ જેટલી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં રાજ્યમંત્રી સંતોષ ગંગવાર અને રેવન્યૂ સેક્રેટરી હસમુખ અઢિયા હાજર રહ્યા હતા. નાણામંત્રી અરુણ જેટલીએ પત્રકારો સાથે ચર્ચામાં જણાવ્યું કે, મોદી સરકારની કામગીરીને કારણે દેશનાં અર્થતંત્ર ઉપર વિશ્વાસ વધ્યો છે. આજે દુનિયામાં ભારત અંગે વિશ્વાસનાં વાતાવરણનું સર્જન થયું છે. સરકારે આ દરમિયાન ઘણા આકરા નિર્ણયો લેવા પડયા હતા. આ નિર્ણયોને કારણે જ વિકાસદરમાં વધારો થયો છે. આ આકરા નિર્ણયો અર્થતંત્રને કાયમ રાખવા માટે કદાચ લેવામાં આવશે. દેશના વિકાસ માટે કોઈપણ કામગીરી કરવા સરકાર પ્રતિબદ્ધ છે. આવા નિર્ણયો થકી જ વિકાસ કરી શક્યા છીએ.
મોદી સરકારનાં ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે અરુણ જેટલી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં રાજ્યમંત્રી સંતોષ ગંગવાર અને રેવન્યૂ સેક્રેટરી હસમુખ અઢિયા હાજર રહ્યા હતા. નાણામંત્રી અરુણ જેટલીએ પત્રકારો સાથે ચર્ચામાં જણાવ્યું કે, મોદી સરકારની કામગીરીને કારણે દેશનાં અર્થતંત્ર ઉપર વિશ્વાસ વધ્યો છે. આજે દુનિયામાં ભારત અંગે વિશ્વાસનાં વાતાવરણનું સર્જન થયું છે. સરકારે આ દરમિયાન ઘણા આકરા નિર્ણયો લેવા પડયા હતા. આ નિર્ણયોને કારણે જ વિકાસદરમાં વધારો થયો છે. આ આકરા નિર્ણયો અર્થતંત્રને કાયમ રાખવા માટે કદાચ લેવામાં આવશે. દેશના વિકાસ માટે કોઈપણ કામગીરી કરવા સરકાર પ્રતિબદ્ધ છે. આવા નિર્ણયો થકી જ વિકાસ કરી શક્યા છીએ.