Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે ૪૦ એકરમાં બનેલાં નેશનલ વોર મેમોરિયલને દેશને સમર્પિત કર્યું હતું. આ દરમિયાન તેમણે એનડીએ સરકાર દ્વારા સેનાના જવાનો અને શહીદોના પરિવારો માટે કરવામાં આવેલી કામગીરી તથા લીધેલાં પગલાં યાદ કર્યાં હતાં. આ ઉપરાંત તેમણે નહેરુ-ગાંધી પરિવાર ઉપર પણ ચાબખા માર્યા હતા, તેમણે જણાવ્યું કે, આ પહેલાંની સરકારો માટે પરિવાર પહેલાં અને દેશ પછી હતો, ગત સરકારે સૈનિકોને માત્ર અન્યાય કરવા સિવાય કશું જ કર્યું નથી. અમારા માટે દેશ પહેલાં છે અને પરિવાર પછી છે. અમારા માટે તો પરિવાર પણ આ ભારતની સેના જ છે. નેશનલ વોર મેમોરિયલ એ જવાનો પ્રત્યે સન્માન સમાન છે, જેમણે દેશની સુરક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું છે. આ મેમોરિયલને દેશની સુરક્ષા માટે શહીદ થનારા ૨૫,૯૪૨ વીર યોદ્ધાઓની યાદમાં બનાવવામાં આવ્યું છે. અમે આ માટે દરેક અશક્ય લાગતી બાબતોને દૂર કરીને બધું જ શક્ય બનાવ્યું છે.
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે ૪૦ એકરમાં બનેલાં નેશનલ વોર મેમોરિયલને દેશને સમર્પિત કર્યું હતું. આ દરમિયાન તેમણે એનડીએ સરકાર દ્વારા સેનાના જવાનો અને શહીદોના પરિવારો માટે કરવામાં આવેલી કામગીરી તથા લીધેલાં પગલાં યાદ કર્યાં હતાં. આ ઉપરાંત તેમણે નહેરુ-ગાંધી પરિવાર ઉપર પણ ચાબખા માર્યા હતા, તેમણે જણાવ્યું કે, આ પહેલાંની સરકારો માટે પરિવાર પહેલાં અને દેશ પછી હતો, ગત સરકારે સૈનિકોને માત્ર અન્યાય કરવા સિવાય કશું જ કર્યું નથી. અમારા માટે દેશ પહેલાં છે અને પરિવાર પછી છે. અમારા માટે તો પરિવાર પણ આ ભારતની સેના જ છે. નેશનલ વોર મેમોરિયલ એ જવાનો પ્રત્યે સન્માન સમાન છે, જેમણે દેશની સુરક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું છે. આ મેમોરિયલને દેશની સુરક્ષા માટે શહીદ થનારા ૨૫,૯૪૨ વીર યોદ્ધાઓની યાદમાં બનાવવામાં આવ્યું છે. અમે આ માટે દરેક અશક્ય લાગતી બાબતોને દૂર કરીને બધું જ શક્ય બનાવ્યું છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ